Madhya Gujarat

વડતાલના આંગણે મકરસંક્રાંતિ દિને ત્રિવેણી યોજાયો

વડતાલ તા.16
વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ, ચેરમેન સ્વામી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, પૂ.નૌતમ સ્વામી , પૂ.શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. મકરસંક્રાંતિ દિને ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ કરવામાં આવી હતી.
વડતાલમાં  સવારે વિધિવત્ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું હતું. સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી હતી. તલના લાડુ – કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી હતી. બાદ ગોમતી કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ હતી , જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો. આ પ્રસંગે સોમપુરા વિપુલભાઈ, સ્નેહલભાઈ – સ્ટ્રકચર એક્સપર્ટ, આર્કીટેક ચિરાગ ભગત, સતિષભાઈ વડતાલ વગેરેને આચાર્ય મહારાજે હાર પહેરાવીને સમગ્ર ટીમને શુભકામના પાઠવી હતી અને નેશનલ હાઈવેથી વડતાલ આવતા રસ્તા પર વિશાળ 16 હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન, આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે મંત્રી દેવુસિંહજી ચૈહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કપિલાબેન – નરસંડા સરપંચ તથા હિરેનભાઈ ડેપ્યુટી સરપંચ, અમિતભાઈ સરપંચ વડતાલ, મનિષભાઈ સરપંચ – પીપળાવ, જીલ્લા પંચાયત સભ્યઓ- તાલુકા પંચાયત સભ્યઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
આ પ્રસંગે વલ્લભ સ્વામી ઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય, પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્ય તથા લાલજી ભગત,હરિઓમ સ્વામી પાઠશાળા, પવન સ્વામી કલાલી, ભાસ્કર ભગત, શામજીભાઈ લંડન તથા મિરાજ  પટેલ- કાઉન્લીલર હેરો લંડન,  શેઠ પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક – ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ  થોરિયા  જજ સુરત, મનોજભાઈ વડતાલ  લંડન, દક્ષેશ પટેલ લંડન, મિલનભાઈ વડતાલ આફ્રિકા, સતિષભાઈ વડતાલ, દિલિપભાઈ નડિયાદ, બંદિસભાઈ – અમેરિકા, રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top