Comments

MVA અને મહાયુતિની રચના પછી આ પ્રથમ ચૂંટણી છે, જેણે મહારાષ્ટ્રના રાજકારણને ભીડભાડવાળી જગ્યામાં ફેરવી દીધું છે

લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ 31 માર્ચે દાવો કર્યો હતો કે, બારામતી મતવિસ્તારમાં તેમની અને તેમની ભાભી સુનેત્રા પવાર વચ્ચેની લડાઈ એ એનસીપીના સ્થાપક શરદ પવારને રાજકીય રીતે ખતમ કરવાનું ભાજપનું ષડયંત્ર છે. સુલેએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં આંતર-પારિવારિક દ્વંદ્વયુદ્ધ સુનેત્રા પવાર પ્રત્યેના તેમના આદરને ડગમગાવશે નહીં. કારણ કે, તે તેના ‘મોટા ભાઈની પત્ની અને માતા જેવી’ છે.

શરદ પવારનું ઘરેલું મેદાન બારામતી, 30 માર્ચના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને સુલે સામે મેદાનમાં ઉતાર્યા પછી હાઈ-પ્રોફાઈલ લડાઈ માટે તૈયાર છે. એનસીપી (એસપી)એ મતવિસ્તારમાં ત્રણ વખતના સાંસદ અને શરદ પવારની પુત્રી સુલેને મેદાનમાં ઉતાર્યાં છે. પવાર-વિરુદ્ધ-પવાર ઝઘડો એ મૂળ ગયા વર્ષે એનસીપીમાં વિભાજનનું પરિણામ છે, જ્યારે અજિત પવાર તેમના વફાદાર ધારાસભ્યો સાથે સત્તાધારી ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં ચાલ્યા ગયા હતા.

સુલેએ કહ્યું કે, સુનેત્રા પવાર તેના મોટા ભાઈની પત્ની છે અને મોટી ભાભીને માતા તરીકે ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બે રાજકીય ગઠબંધન મહા વિકાસ અઘાડી અને મહાયુતિ, આંતરિક મતભેદોથી એટલા પરેશાન છે કે તેઓ પ્રથમ તબક્કામાં રાજ્યની પાંચ મતવિસ્તારોમાં મતદાન હોવા છતાં સીટ ફાળવણીને અંતિમ રૂપ આપી શક્યા નથી. જોકે, આ આશ્ચર્યજનક નથી. કારણ કે, આ તાજેતરમાં રચાયેલા આ જોડાણો સામાજિક આધારો અને ઘટક પક્ષોના સ્પર્ધાત્મક રાજકીય વારસો સહિતના વિરોધાભાસોથી ભરેલા છે. 1960માં રાજ્યની રચના થઈ ત્યારથી લઈને 1980ના દાયકા સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાયી દેખાવ હતો. કોંગ્રેસની ઇકોસિસ્ટમ પ્રથમ ત્રણ દાયકાઓ સુધી રાજ્યની રાજનીતિની મુખ્ય કેન્દ્ર હતી જ્યારે કોંગ્રેસમાંથી અલગ થયેલા જૂથો સહિત બહુવિધ દાવેદારોએ વિપક્ષની જગ્યા માટે ઝંપલાવ્યું હતું અને ત્યાં સુધી કે 1978માં ઓફિસ પણ જીતી હતી.

1980ના દાયકામાં ચૂંટણીના રાજકારણમાં શિવસેનાનો પ્રવેશ અને 1989ની ચૂંટણીમાં ભાજપ સાથેના જોડાણથી સ્પષ્ટ બીજો ધ્રુવ ઊભો થયો, જે સ્પષ્ટ રીતે વૈચારિક હતો અને રાષ્ટ્રવાદના કૉંગ્રેસ બ્રાન્ડનો વિરોધ કરતો હતો.

પછીનાં 30 વર્ષોમાં મહારાષ્ટ્રમાં રાજકારણ આ બે ધ્રુવોની આસપાસ ફરતું જોવા મળ્યું, જેમાં સેના-ભાજપ ગઠબંધન, મરાઠી રાષ્ટ્રવાદ અને હિંદુ રાષ્ટ્રવાદના સંયુક્ત સ્ટ્રેંડનું પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસ પ્રણાલીનું પતન – સહકારી સંસ્થાઓનું વિભાજન અને પતને પણ આ સત્તા પરિવર્તનને સરળ બનાવ્યું. જોકે, 2019માં સેના અને બીજેપી ગઠબંધન તૂટી જતાં સ્થિરતા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે રાજકીય સમીકરણોની પુનઃ ગોઠવણી થઈ હતી.

મહા વિકાસ અઘાડી (એમવીએ)ની રચના નોંધપાત્ર હતી. કારણ કે, તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને તેના પિતૃ સંગઠન કોંગ્રેસ, શિવસેનાની આગેવાની હેઠળની સરકારમાં જોડાવાની સંમતિ દર્શાવી હતી. મંથન વધુ તીવ્ર બન્યું જ્યારે શિવસેના અને એનસીપીનું વિભાજન થયું અને ભાજપે વિભાજિત જૂથો સાથે મહાયુતિની રચના કરી, જે હવે માતૃ સંગઠન તરીકે ઓળખાય છે. એમવીએ અને મહાયુતિની રચના પછી આ પ્રથમ ચૂંટણી છે, જેણે મહારાષ્ટ્રના રાજકારણને ભીડભાડવાળી જગ્યામાં ફેરવી દીધું છે.

આ ઉપરાંત બંને જોડાણોમાં એનસીપી અને સેનાના જૂથોના અલગ-અલગ પક્ષોમાં વિકસિત થવાને લઈને અસમંજસની સ્થિત સર્જાઈ છે. આ અસ્તવ્યસ્ત લેન્ડસ્કેપમાં દરેક પક્ષ/જૂથ તેના અનુયાયીઓ વચ્ચે તેમજ વિવિધ પ્રદેશોમાં તેની શક્તિઓને એકીકૃત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેણે જોડાણોમાં તીવ્ર સ્પર્ધા શરૂ કરી છે. કોંગ્રેસ અને શિવસેના (યુબીટી) વચ્ચે સાંગલી અને મુંબઈના વિવિધ મતવિસ્તારો પરની તકરાર એ આ વલણનું ઉદાહરણ છે. સાંગલી પશ્ચિમ મહારાષ્ટ્રમાં છે, જે કોંગ્રેસ-એનસીપીનો ગઢ છે, જ્યાં સેના-યુબીટી તેની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. જેથી તેને મુંબઈ અને કોંકણ સુધી મર્યાદિત પાર્ટી તરીકે જોવામાં ન આવે.

પક્ષના જૂથો વચ્ચે ક્રોસ-આંદોલનના પરિણામે ભૂતપૂર્વ ભાગીદારોએ સમાન બેઠક માટે દાવા કર્યા છે. મોટા ભાગે તેમનો આધાર જાળવી રાખવા માટે પણ. બે મોટા ખેલાડીઓ- સેના અને એનસીપીના વિભાજને પણ હરીફાઈ ખોલી છે અને ઘણા નાના પક્ષો અને જૂથોને તેમની વાસ્તવિક તાકાતથી વધુ સોદો કરવા માટે તક પ્રદાન કરી છે. મહારાષ્ટ્ર દલિત રાજકીય પરંપરાના ઉત્તરાધિકારી પ્રકાશ આંબેડકરની વિકાસ બહુજન અઘાડી (વીબીએસ)એ એમવીએ સાથે એ આશામાં સખત સોદો કર્યો કે એમવીએને રાજ્યમાં બિન-હિન્દુત્વ મતને મજબૂત કરવા માટે તેની મદદની જરૂર પડશે – વાટાઘાટો નિષ્ફળ ગઈ અને વીબીએ ત્રીજા મોરચો બની ગયો છે. ખેડૂતોના હિત માટે બોલતા પક્ષો (રાજુ શેટ્ટીની આગેવાની હેઠળની સ્વાભિમાની પક્ષ અને ખેડૂત અને કામદાર પાર્ટી) અથવા પ્રભાવશાળી વ્યક્તિઓ જેમ કે મનોજ જરાંગે-પાટીલ અશાંત મરાઠા જાતિ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, અને જે ચિત્ર ઊભું થાય છે તે અરાજકતા અને મૂંઝવણનું છે.

અલબત્ત, ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી એ સૌથી મોટું ઇનામ છે. વાસ્તવમાં, એનસીપી અને સેનાના જૂથો માટે સામાન્ય ચૂંટણી તેમની જમીની તાકાતની પ્રથમ મોટી પરીક્ષા છે. કોઈપણ પક્ષ હરીફને જગ્યા આપવા માંગતો નથી. જોકે, બની શકે કે તેને ભવિષ્યમાં તેની કિંમત ચૂકવવી પડશે. તેથી જ પક્ષ/ગઠબંધન સંચાલકો માટે બેઠકના વિવાદો ઉકેલવા મુશ્કેલ બની ગયા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top