World

થાઈલેન્ડમાં નેવીનું યુદ્ધ જહાજ ખાડીમાં ડૂબ્યું, ડઝનો સૈનિક દરિયામાં થયા ગૂમ

નવી દિલ્હી: થાઇલેનેડની (Thailand) ખાડીમાં (Gulf) રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. જ્યાં ખાડીમાં નેવીનું યુદ્ધ જહાજ (Navy Warship) એક ડૂબી ગયું હતું. જહાજમાં સવાર 100થી વધુ નેવીના સૈનિકો (Soldiers) પણ દરિયામાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી (Rescue) હાથ ધરવામાં આવી હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાની હાલ પણ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં 75 જેટલા સૈૈનિકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 31 સૈનિકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર થાઈલેન્ડની ખાડીમાં રવિવારે સાંજે થાઈલેન્ડની નૌકાદળનું યુદ્ધ જહાજ ડૂબી ગયું હતું. દુર્ઘટનાની જાણ થતા જ થાઈલેન્ડ નૌસેના બચાવકામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 75 નૌસેનાના જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 31 હજુ પણ દરિયામાં લાપતા હોવાનું સામે આવ્યું છે.

રવિવારે સાંજે બનેલી દુર્ઘટમાં થાઈલેન્ડ પ્રશાસને રવિવાર સાંજથી જ બચાવકામગીરી શરૂ કરી દીધી હતી. આખી રાત ચાલેલા રેસ્ક્યુ ઓપરેશ બાદ નૌસેનાના અધિકારે જણાવ્યું હતું કે સોમવારે એક જહાજ અને હેલિકોપ્ટરને પાણીમાંથી બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. ઊંચા મોજાઓને કારણે દરિયાનું પાણી HTML સુખોથાઈ કોર્વેટમાં પ્રવેશ્યું અને તેની વિદ્યુત વ્યવસ્થાને નુકસાન થયું હતું. રોયલ થાઈ નૌકાદળે ત્રણ યુદ્ધજહાજ (ફ્રિગેટ્સ) અને મોબાઈલ પમ્પિંગ મશીનો સાથે બે હેલિકોપ્ટર યુદ્ધ જહાજમાંથી દરિયાઈ પાણી બહાર કાઢવા અને જવાનોને બચાવવા માટે મોકલી આપવામાં આવ્યા છે.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે ઊંચા મોજાંને કારણે બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઈ હતી અને વીજ સિસ્ટમ ખરાબ થવાના કારણે જહાજ ડૂબી ગયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે યુદ્ધ જહાજ પ્રચુઆપ ખેરી ખાન પ્રાંતના બેંગ સફાન જિલ્લામાં પિઅરથી 32 કિમી દૂર દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ઉત્તર અને મધ્ય થાઈલેન્ડમાં હવે વર્ષનો સૌથી ઠંડો સમય ચાલી રહ્યો છે. દક્ષિણ થાઈલેન્ડમાં હાલમાં જ મોટું તોફાન અને પૂર પણ આવ્યું હતું. જહાજોને કિનારે રહેવા માટે કહેવામાં આવ્યું છે. નૌકાદળના પ્રવક્તાએ કહ્યું: “હવે 12 કલાકથી વધુ સમય થઈ ગયો છે પરંતુ અમે હજુ પણ બચાવ કામગીરી કરી રહ્યા છીએ.”

આખી રાત બચાવ કામગીરી ચાલી હતી
નેવીએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં રોકાયેલા કર્મચારીઓએ આખી રાત બચી ગયેલા લોકોને શોધવામાં વિતાવી હતી અને સોમવારે પણ બચાવ કામગીરી ચાલુ રહેશે. તેમણે અકસ્માત પાછળનું કારણ જાણવા તપાસની પણ જાહેરાત કરી છે. પ્રવક્તા એડમિરલ પોગક્રોંગ મોન્થારાર્ડપાલે કહ્યું, “આપણા સેનાના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. ખાસ કરીને એવા જહાજ જે આજે પણ ઉપયોગમાં આવે છે.” અધિકારીઓએ જણાવ્યું કે જહાજમાં પાણી ભરાવવા લાગ્યું હતું અને યુદ્ધ જહાજ પાણીમાં ડૂબવા લાગ્યું હતું. જેના કારણે પાવર રૂમમાં પણ પાણી ભરાઈ ગયું અને શોર્ટ સર્કિટ થઈ ગયું હતું. પાવર ગયા બાદ ક્રૂને જહાજ પર નિયંત્રણ જાળવવામાં મુશ્કેલી પડી હતી.

નેવીએ મદદ મોકલી
અહેવાલો અનુસાર ત્રણ નૌકા જહાજો અને હેલિકોપ્ટર મદદ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ફ્રિગેટ એચટીએમએએસ ક્રાબુરી જહાજ ડૂબતા પહેલા પહોંચી શક્યું હતું. નૌકાદળે જણાવ્યું હતું કે ફ્રિગેટે સુખોતાઈમાં સવાર મોટાભાગના ક્રૂને બચાવી લીધા હતા. જોકે, નેવીએ આ મામલે વધુ માહિતી આપી નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top