National

‘તેરા ભી હાલ મુસેવાલા…’ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી આપી

નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ ગ્રુપના નેતા સંજય રાઉતને (Sanjay Raut) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી છે. આ ધમકી બાદ રાઉતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેને ધમકી આપનાર વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે ‘ તારો હાલ પણ મૂસેવાલા જેવા જ કરી દઈશું’. . મેસેજમાં રાઉતને હિંદુ વિરોધી કહીને અપશબ્દો પણ આપવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

સંજય રાઉતને ધમકીભર્યો મેસેજમાં કહ્યું કે ‘જો તું મને દિલ્હીમાં મળ્યો તો હું તમને એકે 47થી ઉડાવી દઈશ, સિદ્ધુ મૂસેવાલા જેવો હાલ થશે’, સલમાન અને તું ફિક્સ છે. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના નામે આપવામાં આવી છે. તેને ટેક્સ્ટ સંદેશ તરીકે પ્રાપ્ત થયો. પ્રાથમિક માહિતી મુજબ મેસેજ મોકલનાર વ્યક્તિ પુણેનો હોવાનું જાણવા મળે છે. જેમાં તેણે લખ્યું છે કે, હું મારી નાખીશ, હિન્દુ વિરોધી, દિલ્હીમાં મળીશ, સિદ્ધુ મુસેવાલા ટાઇપમાં તમને AK47થી ઉડાવી દઇશ.

લોરેન્સના નામે ધમકી મળી
લોરેન્સ બિશ્નોઈના નામે મળેલી આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો તું દિલ્હીમાં મળસે તો તને AK 47થી ઉડાવી દેવામાં આવશે, મૂસેવાલા જેવો હાલ થશે.’ આ ધમકી બાદ રાઉતે પોલીસને પત્ર લખીને માહિતી આપી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે આ ધમકી કન્નડ રક્ષા વેદિકા નામની સંસ્થા તરફથી આવી છે.

આ અંગે સંજય રાઉતે શું કહ્યું?
બીજી તરફ સંજય રાઉતે કહ્યું છે કે આવું પહેલીવાર નથી થયું, આ સરકારમાં આવ્યા બાદ અમારી સુરક્ષા હટાવી દેવામાં આવી, મેં આ મામલે કોઈને પણ પત્ર લખ્યો નથી. મુખ્યમંત્રીનો પુત્ર મારા પર હુમલાનું ષડયંત્ર રચે છે, સત્ય શું છે તે અમે જાણીએ છીએ. મને ગઈ કાલે પણ ધમકીઓ મળી છે, મેં આ અંગે પોલીસને જાણ કરી છે. ગૃહમંત્રીએ શું કર્યું તે જણાવો.

સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા ફિલ્મ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે 18 માર્ચે સલમાન ખાનને મોકલવામાં આવેલ ધમકીભર્યો ઈમેલ વિદેશમાં છુપાયેલા ગોલ્ડી બ્રારે મોકલ્યો હતો. આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે સલમાન ખાનને મારવો તે તેના જીવનનો ઉદ્દેશ્ય છે. તેણે ગાયક સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

લોરેન્સ વિશ્નોઈએ બીજું શું કહ્યું?
પોલીસ પ્રશાસન પર પણ સવાલો ઉઠ્યા હતા કે તેને જેલમાંથી આટલી સુવિધા કેવી રીતે મળી રહી છે. ગેંગસ્ટરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાને માફી માંગવી પડશે. સલમાને બિકાનેરના અમારા મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ. અત્યારે હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બનીશ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. જો સુરક્ષા હટાવી દેવામાં આવશે તો હું સલમાન ખાનને મારી નાખીશ. તેણે એમ પણ કહ્યું હતું કે તે 4-5 વર્ષથી સલમાન ખાનને મારવા માંગતો હતો. મુસેવાલાની હત્યા પર તેણે કહ્યું હતું કે ગોલ્ડીએ જે કર્યું તે કર્યું.

Most Popular

To Top