Madhya Gujarat

આણંદ અમૂલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર યોજાયાં

આણંદ અમુલ ડેરી ખાતે સોમવારના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ સૂર્ય નમસ્કાર શરીર અને મનને શાંતિ આપવાનું અને નવી ઉર્જાનું સિંચન કરે છે તેમ જણાવી યોગ અને સૂર્ય નમસ્કારને રોજિંદા જીવનમાં અપનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અમુલ ડેરીઓના અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેઇનર સહિત મોટી સંખ્યામાં

વિદ્યાર્થીઓ અને નગરવાસીઓ ઉપસ્થિત રહી સુર્ય નમસ્કાર યોગાભ્યાસમાં જોડાયા હતા.

Most Popular

To Top