SURAT

સુરતના રાંદેરની ધટના: અમારા સંબંધી સાથેના સમાધાનના 50 લાખ નહીં આપો તો જાનથી મારી નાંખીશ

સુરતઃ રાંદેર (Rander) ખાતે રહેતા અને ચેન્નઈ ખાતે કસ્ટમમાં નોકરી (Job) કરતા યુવકની પત્ની (Wife) લગ્નના (Marriage) પાંચ દિવસમાં જ કોઈ કારણ વગર મુંબઈ (Mumbai) પિયર જતી રહી હતી. બાદ સમાધાન માટે યુવકનાં સાસરિયાં પક્ષ તરફથી વચ્ચે પડેલા નટુભાઈ નામના વ્યક્તિએ ઘરે આવીને સમાધાનના ૫૦ લાખ નહીં આપે તો જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ (Complaint) રાંદેર પોલીસમાં (Police) નોંધાઈ છે.

  • પુત્રના છૂટાછેડા માટે સાસરિયાં પક્ષે સમાધાન માટે વચ્ચે પડેલો વ્યક્તિ ધમકી આપી ગયો
  • લગ્ન પહેલા જ પુત્રવધૂના પિતાએ થાણેના ફ્લેટમાં તેનું નામ પણ દાખલ કરાવી દીધું
  • યુવકની પત્ની લગ્નના પાંચ દિવસમાં જ કોઈ કારણ વગર મુંબઈ પિયર જતી રહી

મોરા ભાગળ દાંડી રોડ પર શિવદર્શન રો હાઉસમાં રહેતા ૬૯ વર્ષીય લવજી જેઠા ગોહિલ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. નાનો પુત્ર ચેન્નઇ ખાતે કસ્ટમ ઓફિસમાં નોકરી કરે છે. તેનાં લગ્ન મનસુખ કુંઢડિયાની પુત્રી ભાવીકા સાથે વર્ષ-૨૦૧૬માં મુંબઈ ખાતે કોર્ટે મેરેજ થયાં હતાં. ત્યાર પછી સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. ભાવીકા પાંચેક દિવસ સુરતમાં રહ્યા બાદ મુંબઈ જતી રહી હતી. પરત નહીં આવી તેણે મુંબઈની થાણેની કોર્ટમાં ખોરાકી માટે કેસ દાખલ કર્યો હતો. જેથી પુત્ર દીપકે પણ સુરત ખાતેની કોર્ટમાં લગ્ન હક્કનો પુન: સ્થાપન માટે કેસ કર્યો હતો. લગ્ન પહેલાં મુંબઈ થાણેમાં ફ્લેટ લીધો હતો. લગ્ન બાદ ભાવીકા ૨૦૧૭થી અલગ રહે છે. મુંબઇનો ફ્લેટ લીધો એ ફ્લેટમાં ભાવીકાના પિતાએ તેનું પણ નામ રખાવ્યું હતું. ભાવીકાને પરત લાવવા અનેક વખત સમાધાનની કોશિશ કરી હતી. સમાજના વડીલોની હાજરીના છૂટાછેડા માટે મૌખિક સંમતિ બની હતી. ભાવીકાના પિયર પક્ષ તરફથી નટુ ધારૈયાને સમાધાનની વાતચીત કરવા માટે મોકલ્યા હતા. બંને વચ્ચે સમાધાન નહીં થતાં નટુભાઈ સમાધાનની વાતમાં વચ્ચે પડ્યા હતા. ઘણો સમય થતાં નટુભાઈ ગત ૨૯ એપ્રિલે સાંજે લવજીભાઈના ઘરે ગયા હતા. અમારા સંબંધી મનશુભાઇ સાથેના સમાધાનના રૂ.૫૦ લાખ આપો તેમ કહી ગાળો આપી પૈસા નહીં આપશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગયા હતા. આ અંગે રાંદેર પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top