National

રાજ્ય સરકારનો નિર્ણય : કરફ્યુના સમયમાં સરકારે કર્યો મોટો ફેરફાર, હવે આટલા વાગ્યાથી કરફ્યુ લાગશે

ગુજરlત સરકારે કર્ફ્યુને લઇને એક મોટો નિર્ણય લીધો હતો. કરફ્યુ 15 ફેબુ, સુધી વધારવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક કલાક ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 1 ફેબ્રુ.થી કરફ્યુનો સમય રાત્રીના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. ચાર મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં હવે કરફ્યુ 11 થી 6 માં રહેશે. લગ્નપ્રસંગમાં પણ હવે 200 વ્યક્તિઓની હાજરીને પરવાનગી આપવામાં આવી છે.

દિવાળી પછી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા સુરત, અમદાવાદ, વડોદર અને રાજકોટ આ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. આ પહેલા ગુજરાત સરકારે 31 ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યૂ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધીનો નિર્ણય લીધો હતો. એ આ વખતે લગ્નમાં 100 લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી હતી. 31 ડિસેમ્બર પછીના મહિને 31 જાન્યુઆરી સુધી જે રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવેલો રાત્રી કર્ફ્યૂને રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો હતો.

કોરોના સંક્રમણ નિયંત્રણ અને કોરોના સંપૂર્ણ કાબૂમાં લેવા ભારત સરકારના દિશા નિર્દેશોનું ગુજરાતમાં તા. 28 ફેબ્રુઆરી સુધી ચુસ્ત પાલન કરાશે. રાજ્ય સરકારના નિર્ણયોની જાહેરાત કરતા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ વિગતો જણાવી હતી.

એસ.ઓ.પી.ના નિયમોનો ભંગ કરનારાને સજા થશે.

હોલ – હોટેલ – બેંકવેટ હોલ – ઓડિટોરિયમ – કોમ્યૂનિટી હોલ – ટાઉન હોલ – જ્ઞાતિની વાડી જેવા બંધ સ્થળોએ સામાજીક – ધાર્મિક – મનોરંજન કે અન્ય સમારોહ – કાર્યક્રમો માટે સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. પાર્ટી પ્લોટ-ખૂલ્લા મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખૂલ્લા સ્થળોએ મેળાવડા-સમારોહ માટે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ-હેન્ડ સેનીટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે

ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાશે
ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.27 જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. 1 લી ફેબ્રુઆરીથી તા.28 ફેબ્રુઆરી-2021 સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ 96.94 સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.

પંકજકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે આમ છતાં, covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનું પાલન આવશ્યક છે.
તદ્દનુસાર, કોરોના સંદર્ભે યોગ્ય નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.

SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિશેષ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં પંકજકુમારે કહ્યું કે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. આવી પ્રવૃત્તિ ગતિવિધિઓની વિસ્તૃત વિગતો આપતા તેમણે કહ્યું કે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજીક, શૈક્ષણિક, રમત-ગમત, મનોજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા (other congregation/large gathering) સંદર્ભે જે સૂચનાઓનું પાલન કરવાનું છે તેમાં મુખ્યત્વે જે બાબતો આવરી લેવાઇ છે તે મુજબ( Adequate Physical distancing) અને તેના માટે (Floor marking) કરવાનું રહેશે.

સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે. થર્મલ સ્કેનીંગ, ઓસિમીટર સેગ્નેટાઈઝર સાથેની સગવડતા પૂરી પાડવાની તેમજ, સ્ટેજ, માઈક, સ્પીકર અને ખુરશીઓને સમયાંતરે સેનેટાઇઝ કરવાની રહેશે. હેન્ડ વોશ સેનેટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા, ગુટખાના સેવન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય ઘાતક બિમારીઓથી પીડિત વ્યકિતઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લે તે સલાહભર્યું છે.

આરોગ્ય સેતુ ઍપનો ઉપયોગ થાય તે હિતાવહ રહેશે.
આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા ગોઠવતા (Adequate distance) જળવાઈ રહે તેની તકેદારી રાખવાની રહેશે. તમામ કાર્યક્રમો દરમ્યાન તબીબી સુવિઘાઓ તુર્તજ ઉપલબ્ધ થાય તે માટે જરુરી પ્રબંધ કરવાનો રહેશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા. 4-6-2020ના પરિપત્રથી ધાર્મિક સ્થળો, મોલ્સ, રેસ્ટોરેન્ટ, હોટેલ, આતિથ્ય એકમો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ SOPની ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 % થી વધુ નહી પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે. આ હેતુસર www.digitalgujarat.gov.in પોર્ટલ પર (Online Registration for Organizing Marriage Function) નામના Software પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મૃત્યુ બાદની અંતિમ ક્રિયા/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યકિતઓની મર્યાદા રહેશે. જાહેરમાં થૂંકનારા તથા જાહેરમાં યોગ્ય રીતે ચહેરો નહિ ઢાંકનારા વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા વખતો વખતના હુકમથી નિયત કરવામાં આવેલ દંડને પાત્ર રહેશે. સિનેમા હોલ તથા થિયેટર સંદર્ભે (Ministry of Information & Broadcasting, Government of India)ના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્વિમિંગપૂલ સંદર્ભમાં (Ministry of Youth Affairs & Sports, Government of India) દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

એકઝીબીશના હોલ સંદર્ભમાં (Department of Commerce, Government of India) દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં બહાર પાડવામાં આવનાર SOP અન્વયે રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ SOPને ધ્યાને લઇ જે કોઇ સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવે તેનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે તથા જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલીસ કમિશ્નરશ્રીઓએ સી.આર.પી.સી. કલમ–144 હેઠળ જરૂરી જાહેરનામાં બહાર પાડવાના રહેશે. આ જાહેરનામાની જોગવાઇઓ/કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરનાર વ્યકિત (The Disaster Management Act , 200)5 તેમજ (The Indian Penal Code, 1860)ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે, એમ પણ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ જાહેરનામા અંગેની વિગતો આપતા ઉમેર્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top