Top News

યુક્રેનથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આનંદનાં સમાચાર, દેશમાં જ પૂર્ણ કરી શકાશે ઇન્ટર્નશિપ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે હજારો લોકો મોતને ભેટ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે મેડીકલનાં અભ્યાસ માટે જાય છે. જો કે યુદ્ધના પગલે ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. જેના પગલે ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ભારતમાં લગાવી રહ્યા છે. યુદ્ધનાં પગલે યુક્રેનમાં મોટો વિનાશ થયો છે. જેથી ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયું છે.

ભારત પરત આવેલા વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશને કહ્યું કે , કોરોના તેમજ યુદ્ધ જેવી નિયંત્રણ બહારની ને કારણે અધૂરી ઇન્ટર્નશિપ ધરાવતા વિદેશી તબીબી સ્નાતકો ભારતમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. એક પરિપત્રમાં, NMCએ જણાવ્યું હતું કે રાજ્યની મેડિકલ કાઉન્સિલ દ્વારા તેની પ્રક્રિયા કરવામાં આવી શકે છે, જો કે ઉમેદવારોએ ભારતમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે અરજી કરતા પહેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરી હતી.

કોલેજોને કર્યા આ સૂચનો
“રાજ્યની મેડિકલ કાઉન્સિલોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા લેવામાં આવતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) ભારતમાં નોંધણી કરાવવા માંગતા ઉમેદવારો દ્વારા ક્લિયર કરવામાં આવે. NMCએ જણાવ્યું હતું કે રાજ્યની મેડિકલ કાઉન્સિલોએ મેડિકલ કોલેજ પાસેથી બાંયધરી મેળવવી જોઈએ કે વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) પાસેથી તેઓને તેમની ઈન્ટર્નશિપ કરવાની પરવાનગી આપવા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. “એફએમજીને સ્ટાઈપેન્ડ અને અન્ય સુવિધાઓ સરકારી મેડિકલ કૉલેજમાં તાલીમ પામેલા ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સની સમકક્ષ વધારવી જોઈએ જે યોગ્ય ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવી છે,”

છત્તીસગઢના આરોગ્ય મંત્રીએ લખ્યો હતો પત્ર
છત્તીસગઢના આરોગ્ય મંત્રી ટીએસ સિંહદેવે શુક્રવારે કેન્દ્ર સરકારને યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને દેશની મેડીકલ કોલેજોમાં સ્થાન આપવા વિનંતી કરી હતી. તેમણે કેન્દ્રને વિનંતી કરી કે આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ દેશની મેડિકલ કોલેજોમાં મોકલવામાં આવે. તેમજ નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે આવી પરીક્ષાઓ પાસ કરતા વિદ્યાર્થીઓને સમાવવા માટે મેડિકલ કોલેજોમાં વધારાની જોગવાઈ બેઠકો બનાવી શકાશે. યૂક્રેનમાં અભ્યાસ કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓના ભારત પરત ફર્યા બાદ સિંહદેવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને વધુ શિક્ષણ માટે પત્ર લખ્યો હતો. અને ચિંતા વ્યક્ત કરી છે.

જો કે NMCનાં આ નિર્ણય યુક્રેનની વિવિધ કોલેજોમાં પ્રવેશ મેળવનારા ભારતના સેંકડો તબીબી વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થઈ શકે છે જેમણે દેશ પર રશિયાના સતત લશ્કરી આક્રમણને કારણે તેમના અભ્યાસક્રમો છોડીને ઘરે પાછા ફરવું પડ્યું હતું.

Most Popular

To Top