Top News

મનુષ્યનો થશે દર્દનાક અંત, તેઓ એક બીજાને ખાવા લાગશે, જાણો વૈજ્ઞાનિકોએ શા માટે આ દાવો કર્યો..

માનવી આવનારા સમયમાં અવકાશમાં (Space) સ્થાયી થવાના સપના જોઈ રહ્યો છે, પરંતુ તે એટલું સરળ પણ નથી. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો આપણે અવકાશમાં વસાહતનું સંચાલન કરી શકીએ તો પણ ખોરાકની અછતને (Lack of food in space) કારણે માનવીઓ ‘એકબીજાને ખાવાનું’ શરૂ કરી શકે છે. વિજ્ઞાનીઓએ અંતરિક્ષમાં માનવી સામેના પડકારો વિશે જણાવ્યું છે. વૈજ્ઞાનિકોએ (Scientists) ગુરુના ચંદ્ર કેલિસ્ટો અને શનિના ચંદ્ર ટાઇટન પર માનવ જીવનની સંભાવના વ્યક્ત કરી છે.

  • વિજ્ઞાનીઓ અવકાશમાં મનુષ્યોની વસાહત સ્થાપવા અંગે ચેતવણી આપે છે
  • અવકાશમાં ખોરાકની અછત મોટી સમસ્યા બની શકે છે, મદદ પહોંચતા વર્ષો લાગશે
  • વૈજ્ઞાનિકોએ કહ્યું- જો ખોરાકની અછત હશે તો માણસો એકબીજાને ખાવા લાગશે

તેમ છતાં તેમનું પહેલું સૂચન પ્રયોગ તરીકે મંગળ અથવા ચંદ્ર પર વસાહત સ્થાપવાનું કરવાનું છે. કારણ કે જ્યારે અણધાર્યા પડકારો ઉભા થાય છે ત્યારે આ બંને જગ્યાએ પૃથ્વી પરથી પુરવઠો મોકલવો શક્ય બનશે. Metro.co.uk ના એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોએ ખોરાકની અછત અને રોગોને પૃથ્વીથી દૂરની વસાહતો માટેના મુખ્ય જોખમો તરીકે દર્શાવ્યા છે કારણ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પૃથ્વીની મદદ માટે વર્ષો લાગી શકે છે.

અવકાશમાં મનુષ્યો સામે સૌથી મોટો પડકાર ભોજનનો છે
પ્રોફેસર કોકેલે જણાવ્યું હતું કે શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે પણ અલગ માનવ સમુદાયો ખૂબ જ ઝડપથી તૂટી જાય છે. જો તમે તૈયારી વિના કેલિસ્ટો પર માણસોને મોકલશો, તો વસ્તુઓ બગડવાનું થવાનું શરૂ થશે. જો ખોરાકના અભાવે જીવવાનો બીજો કોઈ રસ્તો ન હોય તો, તેઓ એકબીજાને ખાવાનું શરૂ કરશે. ડૉ. કેમેરોન સ્મિથ પણ આ સમસ્યા પર સહમત છે કે અવકાશમાં માનવીઓ માટે ખોરાકનો પુરવઠો એક મોટો પડકાર છે. તેમણે અવકાશમાં વસાહત સ્થાપવા માટે સૌ પ્રથમ કૃષિ પ્રણાલીના વિકાસ પર ભાર મૂક્યો છે.

પહેલા ટેક્નોલોજીનું પરીક્ષણ કરવું જરૂરી છે
એડિનબર્ગ યુનિવર્સિટીના એસ્ટ્રોબાયોલોજીના પ્રોફેસર ચાર્લ્સ કોકેલે જણાવ્યું હતું કે આબોહવા સંકટને કારણે આપણી પૃથ્વી વસવાટ માટે અયોગ્ય બની જવાના જોખમમાં છે, તેથી સ્પેસ કોલોની બનાવવી આપણી મજબૂરી છે. લુપ્ત થવાને બદલે પ્રજાતિઓનો ફેલાવો કરવો એ એક શાણપણભર્યું પગલું હશે. તેમણે કહ્યું કે અવકાશમાં વસાહતો સ્થાપવા માટેની સિસ્ટમ વિશ્વસનીય હોવી જોઈએ અને તેથી પહેલા તેનું પરીક્ષણ કરવું જરૂરી છે.

ઇતિહાસમાંથી શીખવાની જરૂર છે
કોકેલે કહ્યું કે આપણે ઈતિહાસમાંથી શીખવું જોઈએ – કેપ્ટન સર જ્હોન ફ્રેન્કલિનની ટીમ 19મી સદીના અંતમાં નોર્થ-વેસ્ટ પેસેજની શોધમાં નીકળી હતી. તેઓ તે સમયની શ્રેષ્ઠ ટેકનોલોજીથી સજ્જ હતા. તેમની પાસે તૈયાર ખોરાક હતો જે તે સમયની નવીનતમ તકનીક હતી. પરંતુ તેમ છતાં તેઓ ખોવાઈ ગયા અને પછી ફસાઈ ગયા. તે ક્રૂના સભ્યોનો અંત એકબીજાને ખાવાને કારણે થયો.

Most Popular

To Top