Gujarat

નાના-લઘુ ઉદ્યોગકારો-MSMEને પ્રોત્સાહક વાતાવરણ પૂરૂ પડાશે : દાદા

નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગો અને બેન્કર્સ સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે આવશ્યક પણ છે.

મુખ્યમંત્રીએ રાજ્યના MSME કમિશ્નરેટ અને નાણાં વિભાગ આયોજિત અગ્રણી બેન્કર્સ સાથેની MSME સેક્ટરના પ્રશ્નો-સમસ્યાઓ લોન-ધિરાણ અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીને પગલે ખાસ કરીને નાના ઊદ્યોગો, ધંધા વ્યવસાયિકોને આર્થિક માર પડ્યો છે, તેમાંથી તેમને પૂન: પગભર કરવા પીએમ નરેન્દ્ર મોદી જે સહાય યોજના પેકેજ આપેલું છે તેનો લાભ રાજ્યના આવા ઉદ્યોગ-વેપાર વ્યવસાયિકોને સુપેરે મળે તેવું દાયિત્વ બેન્કોએ નિભાવ્યું છે તે અભિનંદનીય છે.

બેન્કર્સનો ઓવર ઓલ પરફોમન્સ લોન-ધિરાણ સહાયમાં સકારાત્મક છે. આમ છતાં, ઉદ્યોગકારોના નાના-મોટા પ્રશ્નો, સૂચનો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ S.L.B.Cમાં વિચારણામાં લઇ તેનું સત્વરે યોગ્ય નિવારણ થાય તેવું સૂચન તેમણે કર્યુ હતું. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના પદાધિકારીઓએ આ બેઠકમાં MSMEને સ્પર્શતી વિવિધ રજૂઆતો કરી હતી.

Most Popular

To Top