World

રશિયા-ગોવા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

નવી દિલ્હી: રશિયાથી ગોવા (Russia to Goa) આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને (Charted Plane) સુરક્ષા એલર્ટ (Security Alert) આપવામાં આવ્યું છે. જે બાદ ફ્લાઈટને (Flight) ઉઝબેકિસ્તાન (Uzbekistan) ડાયવર્ટ (Divert) કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઇટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. અઝુર એરલાઈન્સનું વિમાન ગોવા આવવા માટે રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. પરંતુ વચ્ચે જ તેમાં બોમ્બ (Bomb) હોવાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈમરજન્સીમાં ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિમાન સવારે 4.15 વાગ્યે દક્ષિણ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર ઉતરવાનું હતું. તેમણે કહ્યું કે અઝુર એર ફ્લાઇટ UDAN (AZV2463)ને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર તરફથી બપોરે 12.30 કલાકે ઈમેલ મળ્યા બાદ ડાયવર્ઝન અંગે માહિતી આપવામાં આવી હતી. ઈમેલમાં પ્લેનમાં બોમ્બ મૂકવાની માહિતી મળતા ખડભળાત મચી જવા પામ્યો હતો.

જણાવી દઈએ કે 11 દિવસમાં રશિયન એરલાઈન્સ એઝુરની ફ્લાઈટ સાથે આ બીજી ઘટના છે . અગાઉ 9 જાન્યુઆરીની મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. ઈ-મેલને ગંભીરતાથી લેતા ગોવા એર ટ્રાફિક કંટ્રોલે તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને તેને નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા કહ્યું.

જે બાદ એટીસીએ વિમાનના પાયલોટને જામનગરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સૂચના આપી હતી. આ એરપોર્ટ પરથી માત્ર એક જ પેસેન્જર ફ્લાઈટનું સંચાલન થાય છે અને તે પણ સવારના સમયે. મળતી માહિતી મુજબ, આ વિમાને 9 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મોસ્કોથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 236 મુસાફરો સહિત કુલ 244 લોકો સવાર હતા. જેમાં 8 ક્રૂ મેમ્બર પણ સામેલ છે. જો કે તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જે બાદ ફ્લાઈટ ગોવા માટે રવાના થઈ હતી.

18 જાન્યુઆરીએ સિંગાપોરથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં ખામી સર્જાઈ હતી
સિંગાપોરથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટને ટેકનિકલ ખામીના કારણે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે 18 જાન્યુઆરી, બુધવારે સવારે 11 વાગે વિમાને ઉડાન ભરી હતી. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પાયલટોએ પ્લેનને સિંગાપોર પરત મેળવી લીધું હતું. વિમાનમાં હાજર તમામ મુસાફરોને એરલાઈન્સ દ્વારા કેટલીક સુવિધાઓ આપવામાં આવી છે. આ સુવિધામાં, કેટલાક મુસાફરોને અન્ય વિમાન દ્વારા તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક વિલંબને કારણે, વિવિધ પ્રકારના વાઉચર આપવામાં આવ્યા છે.

Most Popular

To Top