Madhya Gujarat

દાહોદના બીલવાણી ગામના કૂવામાં પડેલા શિયાળનું રેસ્ક્યું

દાહોદ: દાહોદ તાલુકાના બીલવાણી ગામે એક શીયાળ ખાલી કુવામાં પડી જતાં આ અંગેની જાણ ગ્રામજનો થતાં તેઓ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કર્યાે હતો અને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો દ્વારા આ શીયાળને રેસ્ક્યું કરી કુવામાંથી કાઢી તેની સારવાર હાથ ધરવામાં આવી છે. બે દિવસ અગાઉ દાહોદ તાલુકા બીલવાણી ગામે એક પાણી વગરના ખાલી કુવામાં શીયાળ પડી ગયું હતું. આ અંગેની જાણ સ્થાનીકોને થતાં કુવા તરફ લોકટાળા ઉમટી પડ્યાં હતાં અને આ અંગેની જાણ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળને કરવામાં આવતાં પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો સાહિદ શેખ અને અન્ય સભ્યો બીલવાણી ગામે દોડી ગયાં હતાં. જ્યાં શિયાળનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને હેમખેમ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.  

Most Popular

To Top