Entertainment

આલિયા-રણબીરના લગ્ન આરકે હાઉસમાં થશે જ્યાં નિતુ-ઋષિના લગ્ન થયા હતાં, તૈયારીઓ શરૂ

રણબીર-આલિયાના (Ranbir-Alia) લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને (Marriage) લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ હાલમાં જ રણબીર-આલિયાના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વિશે એવા સમાચાર છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આવી સ્થિતિમાં એક નવું અપડેટ આવ્યું છે કે રણબીર-આલિયાના લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.

તો એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આલિયાના માતા-પિતા ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી રણબીર સાથે લગ્ન કરી લે. પરંતુ આ અંગે રણબીર-આલિયાએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ હાલમાં જ તેમના લગ્નને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામા આવી રહ્યું છે કે તે બંને એપ્રિલમાં સગાઈ કરી લેશે અને મહિનાના અંતમાં લગ્નના બંધનમાં બધાઇ જશે. ચર્ચા એ વાતની પણ થઈ રહી છે કે આલિયા અને રણબીરએ તેમના લગ્ન સમારંભનું સ્થળ પસંદ કર્યું છે. જ્યારે આ લગ્નમાં કોણ હાજરી આપશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. તેના માટે એક લાંબી યાદી બનાવવામાં આવી રહી છે.

  • આલિયાના માતા-પિતા લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે
  • રણબીર આલિયા સાથે આરકે હાઉસમાં લગ્ન કરવા ઈચ્છે છે
  • આ ખુશીના મોકમાં લગભગ 450 લોકો હાજરી આપશે

મળતી માહિતી અનુસાર, રણબીર ખૂબ જ ભાવુક છે કારણ કે તેમના જીવનનો બિગ ડે નજીક આવી રહ્યો છે. આ ખુશીના મોકા પર તેઓ તેમના પિતા ઋષિ કપૂરને ખૂબ મિસ (Miss) કરી રહ્યા છે. રણબીર આલિયા સાથે તે જ જગ્યાએ લગ્ન કરવા માંગે છે જ્યાં તેના માતા-પિતા ઋષિ અને નીતુ કપૂરે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂરના (Neetu Kapoor) લગ્ન 20 જાન્યુઆરી 1980ના રોજ આરકે હાઉસમાં (RK House) થયા હતા. આવી સ્થિતિમાં, હવે રણબીર કપૂરે પણ નક્કી કર્યું છે કે તે આલિયા સાથે તે જ જગ્યાએ સાત ફેરા લેશે, ગળામાં મંગળસૂત્ર પહેરાવશે અને માંગમાં સિંદૂર ભરશે. માહિતી મુજબ રણબીર- આલિયાના લગ્ન એપ્રિલમાં જ થઈ શકે છે. આ શુભ અવસરમાં કુલ 450 લોકો હાજરી આપશે.

આલિયાનો પરિવાર ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન રણબીર સાથે જલ્દી થાય. એવામાં કપૂર પરિવાર ઇચ્છતો હતો કે આલિયા અને રણબીર એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરી લે. આલિયાના પરિવારના સભ્યો લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે કારણ કે અભિનેત્રીના નાના ડી નરેન્દ્રવથ રાઝદાનની તબિયત સારી નથી. આવી સ્થિતિમાં પરિવાર ઈચ્છે છે કે રણબીર-આલિયા લગ્ન જલ્દીથી કરી લે.

Most Popular

To Top