National

રાજસ્થાન કોંગ્રેસના 30 નેતાઓ ભાજપમાં જોડાયા, ગેહલોતે કહ્યું- કેટલાક લોકો મુશ્કેલ સમયમાં..

લોકસભા ચૂંટણી (Lok sabha Election) પહેલા રાજસ્થાન કોંગ્રેસમાં (Rajasthan Congress) નાસભાગ મચી ગઈ છે. આજે રાજસ્થાન કોંગ્રેસના 30 નેતાઓ ભાજપમાં જોડાયા છે. લાલચંદ કટારિયાની સાથે ગેહલોતના નજીકના સાથી રાજેન્દ્ર યાદવ, પૂર્વ સાંસદ ખિલાડી લાલ બૈરવા, રિછપાલ મિર્ધા અને વિજયપાલ મિર્ધા ભાજપમાં જોડાયા છે. જયપુરમાં બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ નેતાઓનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જણાવી દઈએ કે ભાજપમાં સામેલ થયેલા લાલચંદ કટારિયા અને રાજેન્દ્ર યાદવ અશોક ગેહલોતના નેતૃત્વવાળી પૂર્વ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. કટારિયા ભૂતપૂર્વ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ હતા.

આ મોટા ચહેરાઓ પણ ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રિછપાલ મિર્ધા, વિજયપાલ મિર્ધા, ખિલાડી લાલ બૈરવા, પૂર્વ અપક્ષ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલના પુત્ર આલોક બેનીવાલ, કોંગ્રેસ સેવાદળના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુરેશ ચૌધરી, પક્ષના નેતાઓ રામપાલ શર્મા, રિજુ ઝુનઝુનવાલા અને અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાયા બાદ એક સભાને સંબોધતા લાલચંદ કટારિયાએ કહ્યું હતું કે તેઓ તેમના અંતરાત્માના આધારે ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે ભાજપ ખેડૂતો, ગરીબ અને સામાન્ય માણસની પીડા અને વેદનાને સમજે છે. તેમણે કહ્યું કે તે મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા હતા જેમણે પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ (ERCP)ના મુદ્દાને ઉકેલવા માટે કામ કર્યું હતું.

પૂર્વ કોંગ્રેસ સરકારમાં અનુસૂચિત જાતિ (એસસી) કમિશનના અધ્યક્ષ રહેલા ખિલાડી લાલ બૈરવાએ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું કે તેઓ તેમને (ગેહલોત)ને એસસી કમિશનને બંધારણીય દરજ્જો આપવા વિનંતી કરતા રહ્યા પરંતુ તેમણે હંમેશા અવગણના કરી. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી એસસી સમુદાયના લોકોને પોતાના ગુલામ માનતા હતા. બૈરવાએ કહ્યું કે ભાજપ એસસી સમુદાયને પ્રોત્સાહિત કરે છે. ભાજપથી અલગ થઈને ‘જનતા સેના’ નામની પાર્ટી બનાવનાર પૂર્વ ધારાસભ્ય રણધીર સિંહ ભિંડર પણ ભાજપમાં જોડાયા છે. ભિંડરે કહ્યું કે તેઓ કેટલાક કારણોસર ભાજપથી અલગ થયા હતા પરંતુ 11 વર્ષના સંઘર્ષ દરમિયાન તેઓ ક્યારેય કોંગ્રેસમાં જોડાયા નથી અને હવે તેઓ તેમના પરિવારમાં પાછા ફર્યા છે.

કેટલાક લોકો મુશ્કેલ સમયમાં પાર્ટી છોડી ભાગી રહ્યા છેઅશોક ગેહલોત
આ નેતાઓના ભાજપમાં જોડાયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ નેતાઓ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને હવે લોકો મુશ્કેલ સમયમાં પાર્ટી છોડી રહ્યા છે. અશોક ગેહલોતે કહ્યું કે કોંગ્રેસ છોડી રહેલા નેતાઓને કોંગ્રેસે માન્યતા આપી, કેન્દ્રીય મંત્રી બનાવ્યા, રાજ્યમાં મંત્રી બનાવ્યા, પાર્ટીમાં મોટા હોદ્દા પર બેસાડ્યા પરંતુ પાર્ટી માટે મુશ્કેલ સમયમાં તેઓ પાર્ટી છોડીને ભાગી રહ્યા છે.

Most Popular

To Top