SURAT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન આવે એ પહેલાં સુરત એરપોર્ટ પર કરાઈ આવી તૈયારીઓ..

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ વિમાનમાં 10 જુને સુરત એરપોર્ટ આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનની મુલાકાત પહેલા જે માપદંડ ફોલો કરવાના હોય છે એ મુજબ સુરત એરપોર્ટના રનવેની ગ્રીપ ચકાસવા મંગળવારે મોડીફાઇડ વોલ્વો કાર હાઈ સ્પીડથી દોડાવી રનવેની રફનેશ સાથે સ્મૂધનેશ તપાસવામાં આવી હતી. એવિએશન સેક્ટરના નિષ્ણાંતો કહે છે કે,રનવે પર સતત વિમાન લેન્ડિંગ થતાં હોવાથી વ્હીલની ચોટતી રબર ડિપોઝીટ કાઢી લઈ રનવેની રફનેશ-સ્મૂધનેશ દર વર્ષે તપાસવામાં આવે છે. આ વખતે યોગાનુયોગ વડાપ્રધાનની મુલાકાત પહેલા રનવે પરથી જમાં થયેલી રબર ડિપોઝીટ દૂર કરવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને એવિએશનની ભાષામાં ફિક્શન ટેસ્ટિંગ કહે છે. વિશેષ મોડીફાઇડ કારમાં વિમાનમાં જોવા મળતા નાના વ્હીલ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને કારણે વિમાનની લેન્ડિંગ વખતની જેટલી ગતિ હોય છે, એ સ્પીડમાં દોડાવવામાં આવે છે.

  • મોદીનું વિમાન 10 મીએ આવે એ પહેલાં સુરત એરપોર્ટના રનવેની ગ્રીપ ચકાસાઈ
  • રનવે પર સતત વિમાન લેન્ડિંગ થતાં હોવાથી વ્હીલની ચોટતી રબર ડિપોઝીટ કાઢી લઈ રનવેની રફનેશ-સ્મૂધનેશ દર વર્ષે તપાસવામાં આવે છે
    વિશેષ મોડીફાઇડ કારમાં વિમાનના જેવા જ નાના વ્હીલ ફીટ કરી વિમાનની લેન્ડિંગ વખતની જેટલી ગતિ હોય છે, એ સ્પીડમાં દોડાવવામાં આવે છે

તમને જણાવી દઈએ કે, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની ખૂબ નજીક છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા ત્યાર બાદ જ સુરત એરપોર્ટનું ડેવલપમેન્ટ ઝડપથી આગળ વધ્યું છે. વડાપ્રધાન અવારનવાર સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ વિશે વિગતો મેળવતા રહે છે. મોદી પોતાના સત્તાવાર વીવીઆઈપી બોઈંગ 777 (Boeing 777 ) વિમાનમાં (plane) સુરત આવનાર હોવાથી સુરત એરપોર્ટ માટે આ પહેલો એવો પ્રસંગ બનશે કે જ્યારે પ્રથમ વખત બોઈંગ 777 જેવું મોટું વિમાન સુરત એરપોર્ટ પર ઉતરશે.

 મોદી આવવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારે થોડા દિવસ અગાઉ પોતાની ટીમ સાથે સુરત એરપોર્ટ પર ચાલી રહેલા ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, એપ્રન અને ટેક્ષીવે પ્રોજેક્ટના 353 કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે વેસુ તરફના રનવેના 615 મીટરના કાપ,નડતરરૂપ બિલ્ડીંગને લગતાં કેસની વિગત પણ મેળવી હતી.

દરમિયાન ચર્ચાઓ ઉપડી છે કે, તાતા–સિંગાપોર ગ્રુપની દેશની સૌથી પ્રીમિયમ એરલાઈન્સ વિસ્તારા સુરત થી દુબઇ અને સિંગાપોરની ફ્લાઈટ શરૂ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ સફળ થાય એ માટે ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી સુરતને મળે એ માટે ભરચક પ્રયાસ કરી રહ્યાં છે.

Most Popular

To Top