મણીપુરમાં (Manipur) આતંકવાદીઓએ (Terrorist) કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. અહીંના ચુરાચંદાપુર જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અસમ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડીંગ ઓફિસરના કાફલા પર હુમલો...
સુરત: (Surat) સુરત છેલ્લા ઘણા વર્ષોથી નશાના દલદલમાં ફસાઈ રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનો (Drugs) જે રીતે વપરાશ થઈ રહ્યો છે અને ખેપિયા...
સુરત: સુરત (Surat) મનપા દ્વારા ગત તા.16 મી જાન્યુ.થી વેક્સિનેશનની (Vaccination ) કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 100 ટકા લોકોને...
સુરત : (Surat) પૂણા વિસ્તારમાં પોલીસનો (Police) ડ્રેસ પહેરીને રોફ જમાવનારા બેકાર યુવકને પૂણા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલો આ યુવક...
સુરત:(Surat) સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનીંગ કરવા માટેના માસ્ટર પ્લાનના (Master Plan) બીજા તબક્કા અંતર્ગત ડ્રેનેજ લાઈનો નાંખવાની...
સુરત (Surat) : શાકભાજીની (Vegetables) આડમાં, કચરાની આડમાં અને હવે કુરિયર (Currier) ઓફિસ દ્વારા સીધું જ કુરિયર મારફતે પણ દારૂની (Liqueur )...
સુરત: શહેરની (Surat) સુમુલ ડેરીમાં (Sumul Dairy) માહોલ તંગ છે. અહીં શુક્રવારે ટેન્કર પાર્ક કરવાના મુદ્દે બે ડ્રાઈવર (Driver) વચ્ચે ઝઘડો થયો...
નવી દિલ્હી : ભારતીય ટીમના માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) કહ્યું હતું કે ટી-20 (T-20) ફોર્મેટના કેપ્ટનપદને છોડ્યા પછી વિરાટ...
નવી દિલ્હી: દિલ્હીમાં અધિકારીઓએ શુક્રવારે લોકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદીત કરવાની સલાહ આપી હતી અને સરકારી અને ખાનગી કચેરીઓને વાહનોના ઉપયોગમાં ઓછામાં ઓછા...
વડોદરા : બે સંતાનોની માતાને 15 હજાર આપવાના બહાને કારમાં બેસાડીને અવાવરૂ જગ્યામાં નિર્દયતાપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની પાંચ વર્ષની પુત્રી...
વડોદરા : રાજ્યમાં તહેવારો ટાણે શરૂ થયેલ અકસ્માતની વણઝાર યથાવત રહેવા પામી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર...
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં સરકાર દ્વારા સ્કૂલ ફીમા ૨૫ ટકા રાહત આપવાની વારંવાર જાહેરાતો થઇ હોવા છતાં, હજુ સુધી સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો...
અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેના પગલે અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ગઈકાલે ઇસનપુર...
રાજ્યના 3 કરોડ લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે...
રાજયમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની રહી છે. આજે કચ્છના નલીયામાં 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. નલીયા પછી ગાંધીનગરમાં પણ ઠંડીનો...
એક તરફ દિવાળીના તહેવારો દરમ્યાન રાજયમાં દ્વારકામાં દર્શનાર્થીઓનો ધસારો વધારે જોવા મળ્યો હતો. જો કે કેટલાંક હોટેલ સંચાલકો દ્વારા જીએસટી નહીં ચૂકવવાના...
‘ભારતને આઝાદી ભીખમાં મળી હતી’ એવું નિવેદન કરનાર બોલિવુડની અભિનેત્રી (Bollywood Actress) કંગના રાણાવત (Kangana Ranaut) પર ચારેતરફથી ટીકાઓનો વરસાદ વરસી રહ્યો...
સલમાન ખુરશીદ (Salman Khurshid) બાદ હવે હિન્દુઓ (Hindu) પર રાહુલ ગાંધીએ (Rahul Gandhi) નિવેદન કરી વિવાદ ઉભો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું...
અંકલેશ્વર : ભરૂચ (Bharuch) જિલ્લામાં ખાસ કરીને વિવિધ જીઆઇડીસી (GIDC) વિસ્તારો આવ્યા છે. એમાં પણ અંકલેશ્વર (Ankleshwar) ખાતે મોટા ભાગના ઔધોગિક એકમો...
હથોડા : કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કંટવા (Kantwa) ગામની માહ્યાવંશી સમાજની મડદાં દફન કરવાની સ્મશાનની (cemetery) જમીન ગામના જ બે...
સુરત: શહેરમાં ચોમાસા (Monsoon) પછી પણ રોગચાળો (epidemic) હજી શાંત પડ્યો નથી. ઝાડા ઉલટીના કેસ બાદ હવે શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડેન્ગ્યુના (Dengue)...
સુરત: સુરત શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ જ વિકરાળ છે. શહેરીજનો રખડતા ઢોરોને કારણે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. જે માટે સુરત મનપા...
સુરત: જૈન સમાજમાં (Jain) સાંસારિક જીવનને (Life) ત્યાગ કરી આદ્યાત્મિક માર્ગે જીવન પસાર કરવા માટે શ્રાવકો નિર્ણય લેતા હોય છે ત્યારે સુરતના...
સુરત: સુરત (Surat) શહેરમાં ગુનેગારો (Criminals) બેફામ બન્યા છે. દારૂ, ચેઈન સ્નેચીંગ, ડ્રગ્સ અને હવે ખુલ્લેઆમ ફાયરીંગની (Firing) ઘટનાઓ સામે આવી રહી...
સુરત: 2 વર્ષ અગાઉ સુરત (Surat) અને મુંબઇની (Mumbai) 13 જેટલી મોટી ડાયમંડ કંપનીઓએ (Diamond) ડાયમંડ ગ્રેડિંગ સર્ટીફિકેટમાં (Grading Certificate) ચેડા કરી...
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની હોમ ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. પસંદગી સમિતિએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી...
સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) હાથ ધરેલા અભિયાન હેઠળ સુરત પોલીસને (Surat) મોટી સફળતા હાથ લાગી છે....
સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા (Surat Municipal corporation) દ્વારા પાર્લે પોઈન્ટ (Parle Point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Fly...
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે વણકહી સમજૂતી હોય છે કે તેમણે એકબીજાના ગોટાળાઓ બહાર પાડવા નહીં, જેથી પ્રજા કદી તેમની અસલિયત જાણી...
સુરત: માત્ર પાંચ દિવસમાં સુરતની (Surat) કોર્ટે (Court) કેસની ટ્રાયલ પુરી કરીને બળાત્કારીને (Rapist) અંતિમ શ્વાસ સુધીની સજાનો આપેલો ચૂકાદો ખરેખર પ્રસંશનીય...
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના ઘરના બહાર બોમ્બ હુમલો, 2 સંદિગ્ધ પકડાયા
એક ટોડીલ, ત્રણ બ્લૂ એન્જલ્સ, અને કરોડો વ્યુઝ
ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો ‘વિશ્વાસનો હથિયાર’ કોણ?:
શાકભાજી માર્કેટ કે દારૂનો અડ્ડો?
અમેરિકામાં ભારતીય નાગરિકની ધરપકડ:
ઈરાની ડ્રોનનો દુબઈ પર હુમલો! 23 Marina Towerમાં આગ, ગલ્ફમાં તણાવ વધ્યો
150 કિમી સ્પીડે ‘ફાઈનલ ડ્રાઈવ’! લાઈવમાં રડી પડ્યો YouTuber અનુરાગ દોભાલ, કાર બેરિયર સાથે અથડાવી
‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીઓની ધમાલ મસ્તી
ભારત આજે ન્યૂઝીલેન્ડ સામે તોડી શકે છે જૂના ઘા:‘દિલ તોડશું’ કિવીઝ કૅપ્ટનની ચેતવણી,
ખામેનેઈના મોતનો બદલો લીધા વગર યુદ્ધ નહીં અટકે: ઈરાનનો કડક એલાન
ઈરાનમાં ઇઝરાયલના તાબડતોબ હુમલા,તેલ ડેપો અને મિસાઈલ સાઇટ્સ નિશાને
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ઇઝરાયલનું ગુપ્ત મિશન:
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
નેપાળ ચૂંટણી: ભારત વિરોધી નેતા કેપી ઓલીને 35 વર્ષીય રેપર બાલેન શાહે 50,000 મતોથી હરાવ્યા
દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ
‘કોઈ પરવાનગીની જરૂર નથી’, રશિયાનું તેલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની મુક્તિ પર ભારતની પ્રતિક્રિયા
ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ
કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી
શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો
સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: કરજણ બેઠક પર સતીશ નિશાળીયા બિનહરીફ
અમેરિકાને જેના પર ગર્વ હતો તે THAAD ડિફેન્સ સિસ્ટમ પર યુએઈ, સાઉદી, જોર્ડનમાં ઈરાની હુમલો
UP: નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ,ડિસ્પ્લે બંધ થઈ ગયું
સાઉથ સુપરસ્ટાર વિજય માટે મોટો ઝટકો!
T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મોટી ચર્ચા:
મણીપુરમાં (Manipur) આતંકવાદીઓએ (Terrorist) કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. અહીંના ચુરાચંદાપુર જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અસમ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડીંગ ઓફિસરના કાફલા પર હુમલો (Attack) કરવામાં આવ્યો છે. આ હુમલામાં કમાન્ડીંગ ઓફિસર, તેમની પત્ની, બાળકો સહિત 7 જવાનો શહીદ થયા છે. હુમલો સવારે 10 વાગ્યે થયો હતો. હુમલા પાછળ પીપ્લસ લિબરેશન આર્મી જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ હુમલા માટે પહેલાંથી જ તૈયાર હતા. કર્નલ વિપ્લવ ત્રિપાઠીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેઓએ હુમલો કર્યો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્ર સહિત 7 જવાનો શહીદ થયા છે. કાયરતાપૂર્ણ હુમલાની મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે નિંદા કરી છે. CM સિંહએ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્વીટ (Tweet) કરતા લખ્યું કે, ‘હું 46 ARના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલાની સખ્ત નિંદા કરું છું. આ હુમલામાં આજે CO અને તેમના પરિવાર સહિત કેટલાંક જવાનો શહીદ થયા છે. રાજ્યની પોલીસ અને અર્ધસૈનિક દળ ઉગ્રવાદીઓને પકડવા માટે મક્કમછે. હુમલાખોરોને છોડવામાં આવશે નહીં.’

આ તરફ રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, ‘મણીપુરના ચુરાચાંદપુરમાં અસમ રાઈફલ્સના વીર જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. ઘટનાને લઈને હું ખુબ દુ:ખી છું. આ ઘટના પર હું મારો શોક વ્યક્ત કરું છું. પાંચ વીર જવાનો સહિત CO અને તેના પરિવારના બે લોકોને દેશએ ગુમાવ્યા છે.

નોંધનીય છે કે, કર્નલ વિપ્લવ ત્રિપાઠી ફોરવર્ડ કેમ્પથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ હુમલો થયો હતો. આતંકવાદીઓ કર્નલના કાફલાની મૂવમેન્ટ પર નજર રાખીને હુમલાની તૈયારી સાથે બેઠાં હતાં. સિંઘાટમાં કર્નલના કાફલા પર આયોજનપૂર્વક મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો ભયાનક હતો કે કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્રએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ચાર અન્ય જવાન પણ ત્યાં જ શહીદ થયા હતા. આ હુમલાની કોઈએ અધિકૃત રીતે જવાબદારી લીધી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલો પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો છે. આ આતંકી સંગઠન 1978માં બન્યું હતું અને તેના દ્વારા અનેક હુમલા કરવામાં આવ્યા છે. પરંતુ શનિવારે કર્નલ પર કરવામાં આવેલો હુમલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.
ઘટના બાદથી જ આર્મીએ અહીં પેટ્રોલિંગ વધારી દીધું છે. આતંકવાદીઓ અને આર્મીના જવાનો વચ્ચે છેલ્લાં કેટલાંક કલાકોથી સામસામી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે આર્મીનો મોટો કાફલો ઘટના સ્થળે ધસી ગયો છે.