Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા સોમવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 9 તેમજ સુરત મનપામાં 6, વડોદરા મનપામાં 5, ભરૂચ, ગાંધીનગર મનપા, કચ્છ, નવસારી, વડોદરા ગ્રામ્યમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ સોમવારે 26 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 309 થઈ છે, જ્યારે વન્ટિલેટર પરના દર્દીઓ સંખ્યા 4 છે અને 305 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં સોમવારે 18-45 વર્ષ સુધીના 36,747 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 2,30,068ને બીજો ડોઝ જ્યારે 15 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,693ને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 12,021ને પ્રથમ ડોઝ અને 86,502ને બીજો ડોઝ તેવી જ રીતે મળી આજે કુલ 3,67,046 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 7,74,73,280 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

To Top