Top News

More Posts

   The Latest

Most Popular

કોરોનાકાળમાં 2020માં ગણપતિ ઉત્સવ પર પ્રતિબંધ હતો.આ વર્ષે સુરતીઓ દ્વારા ગણપતિ ઉત્સવની અનુસાશન,ધાર્મિકતા અને ગરિમાપુર્ણ ઉજવણી કરવામાં આવી.શેરી કે સોસાયટી દીઠ એક મુર્તીનું સ્થાપન કરી એકતાનું ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું.આગમણ યાત્રા નહિ કાઢી,સીધા મંડપમાં મૂકીને સમયસર ગણેશ ચતુર્થીના દિવસે ધાર્મિક વિધિપૂર્વક સ્થાપના કરવામાં આવી.ડીજે,નગારા,લાઈટ ના ખર્ચની બચત કરી.ઉપરાંત દેખાદેખી કરવામાં દુર રહ્યા.નાનો મંડપ પણ કલાત્મક મંડપમાં નાની મુર્તિ જ મુકવા આવી.લગભગ તમામ મંડપોમાં અતિસુંદર લાઇટિંગ કરવામાં આવ્યું.સવાર સાંજ આરતીમાં મોટી સંખ્યામાં ભેગા થવું એ એક ધાર્મિક વાતાવરણ ઉભુ કરવામાં મોટો ભાગ ભજવ્યો.આ પ્રકારની આચારસંહિતા નું પાલન દર વર્ષે થાય એવી વ્હાલા સુરતીઓ પાસે અપેક્ષા.
સુરત     – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top