Top News

More Posts

   The Latest

Most Popular

ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને જ માન્યતા આપી છે અને ભારતની ‘કોવિશીલ્ડ’ રસીને નામંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ ૦૪. ઓક્ટોબરના સવારના ૦૪ થી શરૂ થશે. પરિણામે કોવિશીલ્ડના બન્ને ડોઝ લેનાર ભારતવાસીઓને બ્રિટનમાં 10 દિવસ સુધી કવોરનટાઈન એટલે કે પૃથક -વાસમાં એકલા રહેવાની ફરજ પડશે અને તે અંગે થતો બધો જ ખર્ચ પણ તેમણે ભોગવવાનો રહેશે.

આ સંદર્ભે જણાવવાનું કે બ્રિટનની આ જ કંપનીના લાઇસન્સ નીચે, તેની જ ‘ક્સ કર્યું -ઍમ્રાજેનકા’ રસીનું ‘કોવિઝીઇ ના નવાં નામે, પૂર્ણ – ભારતરિયત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદન થાય છે અને બ્રિટન સરકારની વિનંતિ મુજબ ગત 0૩. મે ના રોજ કોવિસીલ્ડ ના પ0 લાખ ડોઝનો પુરવઠો તેને પૂરો પાડવામાં આવ્યો પણ છે. આમ છતાં પણ બ્રિટન સરકારે આવો પક્ષપાતી નિર્ણય લીધો અને તેના પ્રત્યાઘાત રૂપે ભારત દેશના વિદેશ સચિવે સાફ સંભળાવી દીધું છે કે, આ મામલે નિવેડો નહીં આવે તો અમારા અધિકારક્ષેત્ર નીચે અમે વળતાં કડક પગલાં ભરીશું.

ભારતની ચેતવણી પછી બ્રિટને ગત ૨૨. સપ્ટેમ્બરના રોજ “કોવિસીલ્ડ ને માન્યતા તો આપી દીધી છે. પરંતુ આ માન્યતા જિમ ભરેલી છે. કારણ કે બ્રિટનના ‘ગ્રીન લિસ્ટમાં સામેલ ૧૮ માન્યતા પ્રાપ્ત દેશોની યાદીમાં ભારત દેશ નથી, પણ તેની ‘એમ્બર’ યાદીમાં છે. એટલે કે આ યાદીના નિયમો મુજબ, ઓછામાં ઓછા 10 દિવસ ભારતમાં રહેલાં લોકોએ ઇંગ્લૅન્ડ પ્રવાસના 03 દિવસ પહેલાં, કોવિડ ટેસ્ટ કરાવી, તેનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.

નહિતર ૫00 પાઉન્ડ દંડ થશે. તદુપરાંત ત્યાં પહોંચ્યા પછી પણ બીજા દિવસે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. સાથોસાથ 10 દિવસ કવોરનટાઇનમાં પણ રહેવું જ પડશે. આ સંદર્ભે બ્રિટને એક નવું તુત પણ ઊભું કર્યું છે કે તેને ભારતમાં મળતાં ‘વેક્સિનેશન સર્ટિફિકેટ્સ’ શંકાસ્પદ લાગે છે. તેથી તે માન્ય કરી શકાય તેમ નથી. ટૂંકમાં બ્રિટિશ સરકારની આ પ્રકારનો ભેદભાવયુક્ત વ્યવહાર મુદ્દે વાતનો સાર એટલો જ કે ગાંધીજીએ ૦૯ ઑગસ્ટ, ૧૯૪૨ ના દિને દેશની આઝાદી અર્થે ‘અંગ્રેજો, ભારત છોડો’નો બુલંદ નારો આપ્યો હતો. તેનો ઇતિહાસબોધ લઈને દરેક દેશજનોએ બ્રિટિશ સરકારની ‘ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટની માન્યતા પ્રાપ્ત કરવા અર્થે ‘અંગ્રેજો, રંગભેદ છોડો’નો તીવ્ર નારો વૈશ્વિક ક્ષેત્રે ગજવવો જરૂરી છે.
સુરત     – પ્રા. જે. આર. વઘાસિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top