નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ સ્માર્ટ (Smart) બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic issue)ને...
આપણે મન અને બુદ્ધિની તાત્ત્વિક સ્થિતિને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ આપણને પરમેશ્વરની માયા પરની સ્થિતિની વાત કરી રહ્યા છે. ભગવાન કહે...
મન માનવીના જીવનનું દિશામાપક યંત્ર છે. જો એ યંત્ર બરાબર ન હોય તો આપણે દિશાશૂન્ય બની જઈએ. મન અભેદ્ય નથી, અગમ્ય નથી...
કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે...
ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ...
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ...
હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય,...
મુંબઈથી ગોવા (Mumbai to Goa) જતી ક્રૂઝ (cruse) પર રેવ પાર્ટી (rave party) કરતા પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan)ના પુત્ર આર્યન...
ગ્લોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસના ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦...
રત પર્ફોર્મિંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘થિયેટર કાફે’, ૨૫ સપ્ટેમ્બરે “કલરટેક્સ”ના સહયોગે નવમા મણકા વડે ફરી આરંભાયું. પ્રેક્ષકો તો...
ટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણા ખરા લોકો અજાણ રહે છે. જેમ કે સ્નાન. અહીં સ્નાન કરાવવાની એટલે કે...
સતત આપણી સાથે જ રહેતી હોય એવી આપણી કોઈ પ્રિય ચીજ કે વસ્તુ આપણી નજરથી થોડી વાર માટે પણ ઓઝલ થાય તો...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
ફઘાનિસ્તાનમાંથી એક ચીજ દુનિયાને શીખવા મળી હોય (અમેરિકાને તો મળી છે) તો એ છે કે આતંકવાદને ક્યારેય તાકાતથી હરાવી ન શકાય. અમેરિકાએ...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
અમદાવાદ: (Ahmedabad) નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની (BJP Government) માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ...
નવસારી, બીલીમોરા: (Navsari Bilimora) બીલીમોરામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ રેલીમાં લોકોના ખીસ્સા કપાયા (Pickpocket)...
મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા...
સુરત: (Surat) દર વર્ષે શાસકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ કાર્યક્રમમાં ફોટો સેશન કરાવતા હોય છે. શનિવારે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર...
યૂપી: ઉત્તરપ્રદેશના (UP) લખીમપુર ખીરીના ટીકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર આરોપ લગાડાયો છે કે તેણે ખેડૂતો...
સુરત: (Surat) શહેરના રસ્તાઓની (Roads) જે હાલત છે તેને જોતા લાગી રહ્યું છે કે સુરતીઓ માટે દિલ્હી અભી દૂર હૈ. તેનું કારણ...
મુંબઈઃ (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Drugs Case) એનસીબીએ (NCB) શાહરૂખ ખાનના દિકરા આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દેમાર વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરમાં હલકી ગુણવત્તાના રસ્તાની (Roads) હાલત બદતર...
સુરત: (surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા સપ્તાહમાં વાવાઝોડાની ભયાવહ સ્થિતિ બાદ માંડ-માંડ માહોલ રૂટિન બન્યો છે. ત્યારે હવે તંત્ર પોતાની...
2જી ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટી પર દરોડો પાડ્યો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે...
મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ...
ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાતા હવે આટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
આસારામ આશ્રમમાં રસલ વાઈપર સાપએ સેવકને ડંખ માર્યો: સેવકની હાલત ગંભીર
‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાન માટે માટી ભેગી કરવા સુરતમાં ભાજપના આટલા ટેમ્પો ફરશે
જૂની બોમ્બે માર્કેટમાં શોર્ટ સર્કિટ બાદ સાડીની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી
પાંડેસરાની મિલમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ ટ્રકના વ્હીલમાં કચડાયો
મહુવા પોલીસે ડમ્પરમાં લઈ જવાતો 10.86 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
અતુલ તથા સરોણ હાઇવે ઉપર થયેલા બે અકસ્માતમાં ભરૂચ અને સુરતના 3ના મોત
વલસાડ: રાજસ્થાનથી 5 બાળક ઘરેથી કહ્યા વગર ટ્રેનમાં મુંબઈ ફરવા જવા નિકળ્યા અને બની આવી ઘટના
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેઃ બીજો સેક્શન પણ કાર્યરત, હવે 10 કલાકમાં દિલ્હીથી વડોદરા પહોંચી શકાશે
વેંચુરા એરકનેક્ટનાં એરક્રાફ્ટના ટાયરની ફરી હવા નીકળી, કંપનીએ કરી આ સ્પષ્ટતા
સાપુતારા: સ્વચ્છતાના નામે ફોટો પડાવ્યા અને પછી કચરો ત્યાં જ નાંખી દીધો
ભેસ્તાન ચોકડી નજીકથી બે શ્રમિકો બેભાન મળી આવ્યા: કારણો જાણી ચોંકી જશો
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યમાં શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું, CM અને PMને પત્ર મોકલશે
CNG, PNGના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવા ભાવ
સુરતમાં ઇન્સ્ટાગ્રામની મદદથી 13 વર્ષની દીકરી સાથે થયું વારંવાર દુષ્કર્મ
સુરતમાં નવરાત્રીની તૈયારીઓ શરુ: સરસાણાની અનોખી થીમ બની આકર્ષણનું કેન્દ્ર
સૂર્ય મિશન આદિત્ય-L1ને લગતું મોટું અપડેટ, ઈસરોને બીજી વખત મળી આ સફળતાં
લાજપોર જેલ
161મું સાલમુબારક ‘ગુજરાતમિત્ર’
નર્મદા નદીના કાંઠે રહેતાં પૂરગ્રસ્તોની મુલાકાત લેવામાં આપણું પાટનગર વામણું
જેવું વિચારો તેવા બનો
અક્ષય કુમારે ગાંધી-શાસ્ત્રી જયંતિ પર ખાસ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી
કેનેડા બાદ હવે યુકે પર ધોંસ જમાવવી જરૂરી છે
યુદ્ધ વચ્ચે તુર્કી રશિયા અને યુક્રેન સાથેના સંબંધોમાં તટસ્થતા જાળવી રહ્યું છે
એક દેશ એક ચૂંટણી જો શક્ય બને તો સમય અને રૂપિયા બંને બચી શકે
ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો
ભારતને ભારત નામ આપવાનો શોર કરી ખરી સમસ્યા છુપાવાય છે
આજે આધુનિક યુગમાં પણ આખા વિશ્વમા ગાંધીજીના સમર્થકો વધતા જ જાય છે
તુર્કી અને પાકિસ્તાનની ઘટના દર્શાવે છે કે આતંકવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવુ પડશે
ભેસ્તાનમાં બે વ્યક્તિઓ ઉપર એસિડ અટેક: એક ગંભીર, હુમલાખોર પકડાયો
નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક મહોત્સવ છે. શકિતપૂજન, આરાધના, સાધનાનો મંગળ અવસર છે. આસો સુદ પડવાથી આસો સુદ દશમ વિજયાદશમી સુધી માતાજીના દર્શનાર્થે ભાવિકોનો મહાસાગર ઉમટે છે. જય માતાજીનો નાદ ગૂંજે છે. માતાજીના આ શકિતપૂજનનું આ સમયે બહુ મહત્ત્વ છે. પૌરાણિક કથાનુસાર, મહિષાસુર નામક એક મહાપાપી રાક્ષસ ઉન્મત્ત થઇને દેવ-દેવતા અને માનવીને ત્રાસ આપી રહ્યો હતો ત્યારે બધાએ એકત્વ સાધીને બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સથવારે એક પ્રચંડ શકિતને નિર્માણ કરી. એ શકિતનું નામ જ ‘નવદુર્ગા’ છે. અંબિકા ભવાની છે.
દેવોએ પોતાના પવિત્ર, ઉપયુકત શસ્ત્રો, અસ્ત્રો, શકિત દેવીને અર્પણ કર્યા. શકિતનું નિષ્ઠા, શ્રધ્ધા સાથે પૂજન કર્યું અને દિવ્ય આયુધોથી સંપન્ન દેવીએ રાતદિવસ, ભૂમિ, આકાશ, પાતાળમાં નવ દિવસ પરાક્રમી યુધ્ધ કરીને પાપી મહિષાસુરનો વધ કર્યો. આસુરી વૃત્તિનો નાશ કરીને દૈવી આલમની પુન:સ્થાપના કરી. દેવોને અભય આપ્યું. માનવીને રક્ષણ આપ્યું અને સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરાની જીવન યાત્રા પૂર્વવત શરૂ થઇ. આ એકત્વ શકિત એ જ મા જગદંબા ભવાની છે. સંઘભાવના દૈવી રંગ આપે છે.
મહિષાસુર, મહિષ એટલે પાડો, પાડાના રૂપમાં રહેનારો સ્વચ્છંદી, ઘાતક, માનવભક્ષી, સ્વાર્થી અને નિર્લજ્જ આસુર, જે ફકત વૈમનસ્ય જ કરે છે. ભાવનાશૂન્ય, અતિરેકી, બળાત્કારી, અવ્યવહારુ અને સ્ત્રી લંપટ, ધર્મવિરોધી, રકતપિપાસુ, જીવ હત્યારો તથા નવપલ્લવિત સૃષ્ટિને ખેદાનમેદાન કરવાની વિનાશી વૃત્તિવાળો, આવા ભયંકર પ્રમાદીને હણવાનું મહાન દૈવી કાર્ય મા જગદંબાએ કર્યું અને તે ‘મહિષાસુર મર્દિની’ કહેવાયા. નવદુર્ગાએ અનેક રૂપો લઇને અનેક દૈત્યોનો નાશ કર્યો છે અને ધર્મને બચાવ્યો છે. આજની દુનિયામાં પણ આવા જ દુષ્ટ મહિષાસુરો ગુપિત રૂપે રહીને માનવહાનિ કરી રહ્યા છે. આજુબાજુ, ચારો તરફ આવા શેતાનો રૂપ બદલીને વસી ગયા છે એટલે માનવતા પીડિત છે. ત્રાસ ભોગવે છે. નારી ભયયુકત છે, ધર્મ ખંડિત થઇ રહ્યો છે. જ્ઞાન ઉદાસીન છે. શૌર્ય કુંઠિત છે, સ્વતંત્રતા પર કાળાં વાદળો ભમી રહ્યાં છે.
નવરાત્રીના આ શકિતપૂજનમાં મા ભવાની દેવી પાસે અમારે એકત્વની, સમરસતાની, પુણ્ય પ્રભાવી સંઘટનની માંગણી કરવાની છે. અમારા આયુધોની, શસ્ત્ર,અસ્ત્રોની પૂજા કરીને તેજપુંજ બનાવવાનો છે. અમારા શૌર્યને, શકિતને, સંઘભાવનાને પ્રજવલિત કરીને માતાની આરતી ઉતારવાની છે.હાલમાં પાકેલા મહિષાસુરોને નાથવાની યુકિતપ્રયુકિતઓ મા દુર્ગા પાસે માંગવાની છે. અમને સુસજ્જ, જાગ્રત રહેવા માટેના નવરાત્રીના દિવસો છે. તમે માનો ગરબો ગાવ, રાસ રમો, ભજનો ગાવ પણ તમારી તેજસ્વી ખુમારી, તમારા ઐતિહાસિક શૌર્યની ઝાંખી, તમારા ઓદ્ધાઓની રણનીતિનું દર્શન પણ માની સેવામાં બતાવવાનું ભૂલશો નહિ. તમારા પૂજનઅર્ચનથી મા ભગવતી પ્રસન્ન થશે પછી તો તમને ઉપરનીચેથી કે આડોશપાડોશથી આવનારા નીતિશૂન્ય મહિષાસુરોનો ભય લાગશે જ નહિ. તમારા અંદરના વૈમનસ્યને મટાડો, ભેદાભેદ દૂર કરો, દેશનિષ્ઠ બનો એ જ મા દુર્ગાને ફૂલ ચઢાવવા બરાબર છે. એક બનો, નેક બનો સૂત્ર જાળવશો.