Entertainment

ફિલ્મોમાં તકો મળવા લાગી એટલે ટેલિવિઝનને અલવિદા કહ્યું આકાંક્ષા સિંહ આકાંક્ષા સિંહ

ટેલિવિઝન શો ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહા’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી આકાંક્ષા સિંહે પોતાના શોની સફળતા બાદ સાઉથની ઘણી ફિલ્મો ઉપરાંત બોલિવૂડની ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં પણ કામ કર્યું છે.આ ઉપરાંત હાલમાં જ રિલીઝ થયેલી ‘રનવે 34’માં અજય દેવગન અને અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેયર કરતી નજરે ચડી હતું અને તેના પાત્ર માટે ઘણી સુર્ખિયા બટોરી હતી.જ્યારે અમે ઈન્ટરવ્યુ દરમિયાન તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમણે ફિલ્મનો અનુભવ અને ઘણી રસપ્રદ બાબતો શેર કરી હતી.

2012 માં ટેલિવિઝન ડેબ્યુ કર્યા બાદ, ઘણી સાઉથ અને હિન્દી હિટ ફિલ્મોમાં કામ કર્યું, અને હવે અજય દેવગણ, અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે, શું તમે ક્યારેય વિચાર્યું હતું કે એક દિવસ આટલી મોટી મુકામ હાંસલ કરશો?
હા, એકદમ વિચાર્યું હતું, સપના મોટા જોશો તો જ સાકાર થશે, મેં ફક્ત એક જ ટીવી શો કર્યો, તે પછી મેં ટેલિવિઝનને અલવિદા કહ્યું બાદમાં મેં સપનામાં વિશ્વાસ કર્યો તેથી હું અહીં સુધી પહોચી છું,  અને હજી ઘણું કરવાનું બાકી છે, આ તો માત્ર શરૂઆત છે!

તમે ‘રનવે 34’માં સમાયરા ખન્નાનું પાત્ર ભજવ્યું હતું, તમારા પાત્રનો ફેવરીટ પાર્ટ કયો છે?
સમાયરા ખન્નાને આખી સફર ભજવવા મળી છે.  તે ખૂબ જ અલગ છે, અને મહત્વનો પાર્ટ આખી ફિલ્મનો રહ્યો છે. આ ફિલ્મનો હિસ્સો બનવું એ મારા માટે એક મોટી વાત હતી. સ્ટાર્સ સાથે કામ કરવું જેમને આપણે જોતા આવ્યા છીએ. અને જેમને આપણે માત્ર સ્ક્રીન પર જ જોયા છે, તે મારા માટે મોટી વાત છે. હું ખુશ છું કે લોકોને આ ફિલ્મ પસંદ આવી છે, મારું પાત્ર પણ લોકોને પસંદ આવ્યું છે!

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ પછી તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછું વળીને જોયું નથી, શું તમે હવે ફિલ્મોમાં તમારું મન બનાવી લીધું છે કે પછી તમને હજી પણ ટેલિવિઝનમાં રસ છે?
ટેલિવિઝન છોડ્યાને લગભગ આઠ-નવ વર્ષ થઈ ગયા છે.  મેં એક જ ટેલિવિઝન શો કર્યો.  તે પછી, હું ટીવીમાંથી ફિલ્મો તરફ વળી ગઈ, અને તેનું કારણ એ હતું કે, હું કોઈ એક માધ્યમથી બંધાયેલો નહોતી રહેવા માંગતી, જ્યારે મને કામ માટે ઘણી સારી તકો મળી રહી છે, તો શા માટે આગળ વધુ નહીં, મને લાગે છે કે ફિલ્મ હજુ કરવાની બાકી છે, અને ઓટીટી પર કામ કરવાનું બાકી છે, અને ઘણું બધું કરવાનું બાકી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ?  અને તમે ફિલ્મોમાં આવવાનું કેમ નક્કી કર્યું?
હું શરૂઆતથી જ એક્ટિંગ કરવા માંગતી હતી  અને મનમાં, હંમેશા હતી. પણ, હું ક્યારેય કહ્યું નથી હું થિયેટર કરતી હતી અને થિયેટરથી જ મને તક મળી,  આ ઉપરાંત, ફિલ્મે તેના પોતાના પર એક સ્ટેન્ડ લીધું છે કારણ કે હું પાછળથી તે કરવા માંગતી નથી, મારે અલગ કરવું હતું અને દરેક કલાકારને અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવાની ઈચ્છા હોય છે. હું પણ તે જ ઇચ્છતી હતી તેથી, મેં ટીવીમાંથી ફિલ્મોમાં જવાનું મન બનાવી લીધું, આ મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, અભિનેત્રી તરીકે અલગ-અલગ પાત્રો ભજવવા અને અલગ-અલગ જીવન જીવવું, તો જ હું અભિનેત્રી કહેવાઈશ. એવું નથી કે પાત્રમાં બાંધીને વર્ષો સુધી કામ કરવું જોઈએ.

અમને તમારા પાઇપલાઇન પ્રોજેક્ટ વિશે જણાવો?
સાઉથની ફિલ્મ હમણાં જ રીલિઝ થઈ, જેનું નામ છે ક્લેપ, જેમાં મેં હોકી ખેલાડીનું પાત્ર ભજવ્યું હતું, આ વર્ષે વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે, ઉપરાંત, પરમપરા સીઝન 2 હોટસ્ટાર પર આવવાની છે, તેની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ રહી છે, અને મેં એક સીરીઝ કરી છે જેની ઘોષણા ટૂંક સમયમાં થશે, અને તે હિન્દી વેબ સિરીઝ છે.

રનવે 34 ના શૂટિંગ દરમિયાન, તમે કોઈ યાદગાર ક્ષણ શેર કરવા માંગો છો જે તમારી અગાઉની ફિલ્મો કરતાં અલગ હોય?
અત્યાર સુધી મેં જે પણ કર્યું છે તેનાથી ફિલ્મ ‘રનવે 34’નો અનુભવ ઘણો અલગ રહ્યો છે, તમે પ્રોફેશનલ લેવલ પર કહો કે, પર્સનલ લેવલ પર કહો, પ્રોફેશનલ લેવલ પર લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને ઇન્ડસ્ટ્રીઝમાં પરત આવવાનું જે રીતનું વિચાર્યું હતું,  ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ પછી અલગ પાત્ર કરવા માંગતી હતી, તેથી ‘રનવે 34’ ખુબજ અલગ પાત્ર લાગ્યું, યાદગાર પળોની વાત કરીએ તો બચ્ચન સર સાથે સ્ક્રીન શેર કરવા મળી, તે એક મોટી વાત છે, અને જ્યારે મારું ફ્રેક્ચર થયું હતું, ત્યારે બચ્ચન સર મારા માટે બગ્ગી લાવ્યા હતા, તો આખી ફિલ્મ પોતે જ યાદગાર રહી છે. •

Most Popular

To Top