Surat Main

સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-શિલાન્યાસ

સુરતના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા રુપિયા 12,020 કરોડના ખર્ચે સાકારિત થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટનુું સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી શિલાન્યાસ કરાયું હતું. પીએમ મોદીએ રિમોટ દબાવી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું શિલાન્યાસ કર્યું હતું. સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી. વિસ્તારમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. જ્યારે મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના ૧૮.૭૪ કિ.મી.ના વિસ્તારમાં ૧૮ સ્ટેશનોનું નિર્માણ થશે. સુરત ખાતે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આયોજિત સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ જોડાયા હતાં, જ્યારે મહાત્મા મંદિર,ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મંત્રીગણ જોડાયા હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI) એ સોમવારે ગુજરાતને એક મોટી ભેટ આપી હતી. વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (SURAT METRO RAIL PROJECT) અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ (AHEMDABAD METRO RAIL PROJECT) ના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો. પીએમએ કહ્યું કે ઉત્તરાયણની શરૂઆતમાં અમદાવાદ અને સુરતને આજે ખૂબ જ મહત્વપૂર્ણ ભેટો મળી રહી છે. 

ડાયમંડ સીટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂા.12,020 કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી. વિસ્તારમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે.

આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના ૬.૪૭ કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી ૧૧.૬ કિ.મી. માટે રૂા.૭૭૯ કરોડનું ટેન્ડર મંજુર થયું છે જયારે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી ૩.૫૫ કિ.મી. સુધી રૂા.૧૦૭૩ કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી ૩.૪૬ કિ.મી. સુધી રૂા.૯૪૧ કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.

મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના ૧૮.૭૪ કિ.મી.ના વિસ્તારમાં ૧૮ સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે.

પ્રથમ તબક્કામાં રૂ.૨૭૯૫ કરોડના ખર્ચે ત્રણ ટેન્ડરો મંજૂર કરાયા

પ્રથમ તબક્કામાં સુરત મેટ્રો ટ્રેન પ્રોજક્ટમાં રૂ.૨૭૯૫ કરોડના ખર્ચે ત્રણ ટેન્ડરો મંજૂર કરાયા છે. મેટ્રોની પ્રથમ ફેઝની કામગીરી હેઠળ ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી ૧૦ સ્ટેશન સહિત ૧૧.૬ કિ.મીના લંબાઈના એલિવેટેડ વાયડકટનું બાંધકામનું રૂ. ૭૮૦ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે, આ ઉપરાંત કાપોદ્રા રેમ્પથી સુરત રેલ્વે સ્ટેશનના ૩.૫૫ કિ.મી.ના રૂટમાં ત્રણ સ્ટેશન માટેની ટનલની ડિઝાઇન અને બાંધકામનું રૂ.૧૦૭૩ કરોડનું ટેન્ડર તથા સુરત રેલ્વે સ્ટેશનથી ચોકબજાર સુધીના 3.૪૬ કિ.મી.ના રૂટમાં રૂ.૯૪૨ કરોડના ખર્ચે ત્રણ સ્ટેશન માટેની ટનલની ડિઝાઇન અને બાંધકામના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે બાકીના કામોની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top