National

‘રાજીનામું મારા ખિસ્સામાં છે’, રાજ્યપાલ સત્યપાલ મલિક મોદી સરકાર ભડકયા

નવી દિલ્હી: મેઘાલયના (Meghalaya) રાજ્યપાલ (Governor) સત્યપાલ મલિક છેલ્લા કેટલાક સમયથી મોદી (BJP) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા પ્રસંગોએ, તેમણે જાહેર મંચો પરથી સરકારની યોજનાઓની ટીકા કરી છે. ફરી એકવાર તેમના તરફથી મોદી સરકાર માટે એ જ કડવાશ દેખાઈ છે. તેઓએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે. બુલંદશહેરના ઔરંગાબાદ વિસ્તારમાં સ્થિત મુડી બકાપુર ગામમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સત્યપાલ મલિકે ઘણા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી છે.

  • એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સત્યપાલ મલિકે ઘણા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી
  • સરકાર ખેડૂતોની MSP નહીં સાંભળે તો ખેડૂત અને સરકાર વચ્ચે મોટી લડાઈ થશે: સત્યપાલ મલિક

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ MSPને કાયદેસરનો દરજ્જો મળે તે માટે ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા સત્યપાલ મલિકે કહ્યું છે કે જો સરકાર ખેડૂતોની MSP નહીં સાંભળે તો ખેડૂત અને સરકાર વચ્ચે મોટી લડાઈ થશે અને હું પણ આ લડાઈમાં મહત્વનો ભાગ ભજવીશ. વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે ગવર્નરપદેથી હું રાજીનામું આપીને આ લડત લડીશ. જ્યાં સુધી MSPને કાનૂની દરજ્જો નહીં અપાય ત્યાં સુધી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુઘી આ લડાઈ ચાલશે. મળતી માહિતી મુજબ તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો હતો કે રાજીનામું તેમના ખિસ્સામાં છે અને જો તેમના શબ્દોથી કોઈને દુઃખ થશે તો તેઓ તરત જ તેમના પદ પરથી હટી જશે. મદરેસાના સર્વે પર વાતચીત દરમિયાન રાજપથના નામ બદલવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. આના પર સત્યપાલ મલિકે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું સમજું છું કે રાજપથ અંગ્રેજોએ આપેલું નામ નથી, તેને બદલવું જોઈએ નહીં.

મલિકનું કહેવું છે કે જો સર્વે કરીને મદરેસાઓને સુધારવાની વાત કરવામાં આવે છે, જો વધુ સારી સુવિધાઓ આપવાની વાત કરવામાં આવે છે તો તે સારું છે. તેને રાજકારણ ન કહી શકાય. શાળાઓનો પણ સર્વે કરવો જોઈએ. મલિકે માત્ર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા ચલાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

Most Popular

To Top