National

હિન્દુઓ વિશે આસામના સાંસદની વિવાદાસ્પદ ટિપ્પણી,જાણો શું કહ્યું તેમણે

નવી દિલ્હી: AIUDF પ્રમુખ મૌલાના (Maulana) બદરુદ્દીન અજમલે (Badruddin Ajam) વસ્તી (Population) વધારા પર હિંદુઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. મૌલાનાએ હિંદુઓ પર લગ્ન પહેલા 2-3 પત્નીઓને ગેરકાયદસર રીતે રાખવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હિંદુઓ 40 પછી લગ્ન (Marriage) કરે છે ત્યારે આવી સ્થિતિમાં તેમના બાળકનો જન્મ ક્યાંથી થશે આ ટિપ્પણીને (Comment) લઇને હિંદુ સંગઠનોમાં રોષનો માહોલ પેદા થયો છે. વધુમાં તેમને એવું પણ કહ્યું હતું કે આવી સ્થિતિમાં તેઓએ આપણા મુસ્લિમો પાસેથી શીખવું જોઈએ.

  • મૌલાના બદરુદ્દીન અજમલની વસ્તી વધારાને લઇ હિન્દુઓ પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
  • લગ્ન પહેલા તેઓ ગેરકાયદેસર રીતે 2-3 પત્નીઓ રાખે છે
  • જો 40 બાદ લગ્ન થાયતો હિન્દૂઓમાં તાકાત ક્યાંથી બચેલી હોય ?

લગ્ન પહેલા હિન્દુઓ 2-3 પત્નીઓ રાખે છે”
મૌલાના બદરૂદીન અજમલ ને જયારે જનસંખ્યા વૃદ્ધિ ને લઇને પૂછવામાં આવ્યું હતું ત્યારે,તેમણે જનસંખ્યા વૃદ્ધિની ઘટાડવાની જગ્યાએ વધારવાની સલાહ આપી દીધી હતી. તેમેણે કહ્યું હતું કે મુસલમાન છોકરીઓના લગ્ન 18 વર્ષ બાદ કરવાની છુટ-છાટ સરકારે આપી છે. અને તેના ઉપર અમલ પણ થાય છે. પણ હિન્દુઓ તો હદ વટાવી નાખે છે અને 40-40 વર્ષ સુધી કુંવારા રહે છે. લગ્ન પહેલા તેઓ ગેરકાયદેસર રીતે 2-3 પત્નીઓ રાખે છે અને લગ્ન પહેલા ખુબ મઝા-મસ્તી પણ કરે છે.અને 40ના થાય ત્યારે માબાપ તરફથી તેમને મજબુર કરી દેવાય છે અને 40 બાદ જો લગ્ન થાયતો તેમનામાં તાકાત ક્યાંથી રહેલી હોય તે પણ એક મોટો સવાલ છે..

“હિંદુઓએ પણ મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવવી લેવો જોઈએ”
વધુમાં મૌલાનાએ તેમની ટિપ્પણીમાં કહ્યું હતું કે, “જ્યારે વસ્તી વધારાની આ સ્થિતિ ઉદ્યભવે છે ત્યારે તમે કેવી રીતે અપેક્ષા કરો છો કે હિંદુઓની વસ્તી વધશે જેઓ સમયસર જમીન પર ખાતર અને દવાઓ છાંટે છે ત્યાંથી ફક્ત ડાંગર જ ઉગે છે. ખેતી સારી થશે લોહી અને પાણીની પ્રગતિ થશેઅને પ્રગતિ થશે. આ પછી મૌલાનાએ હિંદુઓને સલાહ આપી કે તેઓ પણ મુસ્લિમોના આ સૂત્રને અનુસરે. તમારા છોકરાઓના લગ્ન 20-22 વર્ષની ઉંમરે કરાવો અને તમારી છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમરે કરાવો અને પછી જુઓ અહીં કેટલા બાળકોનો જન્મ થશે.અને બે નંબરના ધંધાઓ પણ બંધ કરો..

Most Popular

To Top