Gujarat

મહેસાણામાં સ્વાસ્થ્ય સુખાકારી સંદર્ભની ત્રિદિવસીય કોન્ફરન્સ, CM પાંચ વિજેતાઓને એવોર્ડ આપશે

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે મહેસાણામાં (Mahesana) ઇન્ટરનેશનલ કોનફરન્સ ઓન કલીનિકલ રિસર્ચ ફોર રોલ ઓફ સાયકોલોજી ,યોગ એન્ડ નેચરોપથી ફોર વેલબીંગના સમાપન સમારોહની અધ્યક્ષતા કરશે. મહેસાણા જિલ્લાના શંકુઝ નેચરલ હેલ્થ સેંટર ખાતે આ ત્રિદિવસીય કોન્ફરન્સ નું આયોજન ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ, ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.

આ કોન્ફરન્સ પ્રવર્તમાન યુગમાં માનવ જાતની સ્વાસ્થ્ય સુખાકારી માટે અદ્યતન વૈજ્ઞાનિક શોધ સંશોધન સાથે આપણી પારંપરિક ચિકિત્સા પધ્ધતિઓ તેમજ સાયકોલોજી,યોગ અને નેચરોપથીના સંયોજન માટે ના સામૂહિક વિચાર મંથન માટે યોજાઈ છે. સમગ્ર ભારતમાંથી 315 થી વધુ અધ્યાપકો,Doctors, Holistic Healers, Yoga coach, yog experts ,વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક નિષ્ણાતો આ કોન્ફરન્સ માં એકત્રિત થયા છે.

એટલું જ નહિ ,120 થી વધુ સંશોધન પેપર પણ રજુ કરાયા છે. મુખ્યમંત્રી દ્વારા 5 વ્યક્તિઓને આ કોન્ફરન્સ માં એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. છેલ્લા બે દિવસ એટલે કે તા.8 અને આજે તા.9મી સપ્ટે. દરમ્યાન આ કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર ચર્ચા થવા પામી હીત. જેમાં કવોલિટી લાઈફ , નિસર્ગોપચાર , મેન્ટલ હેલ્થ કેર થ્રુ ઈન્ડિયન નોલેજ સિસ્ટમ , સાયકોપેથોલોજી- ઈન્ટીગ્રેટેડ થીયરી ઓફ હોલિસ્ટિક હિલીંગ, ઈમોશનલ સ્પા- હારર્મોની ઈન હ્યુમન લાઈફ , હોલિસ્ટિક એપ્રોચ ઓફ આયુર્વેદા એન્ડ યોગ ઈન ક્રીટીકલ એઈલમેન્ટ , નેશનલ એજયુકેશન પોલીસી તથા હેલ્થી લીવીંગ , યોગા પ્રેકટિસ ફોર મેન્ટલ હેલ્થ સહિતના વિષયો પર ચર્ચા થવા પામી હતી.

Most Popular

To Top