Gujarat

પોરબંદરમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા દાદા

ગાંધીનગર: મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) જન્મભૂમિ (Birthplace) પોરબંદરથી (Porbandar) તિરંગા રેલીને (Tricolor rally) સી.એમ. ભૂપેન્દ્ર પટેલે (C.M. Bhupendra Patel) પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ આવસર મળ્યો જેથી હું મારી જાતને ધન્ય ગણું છું.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે : ભૂપેન્દ્ર પટેલે
આઝાદીનો અમૃત મહોત્સવ દેશ માટે બલિદાન આપનારા રાષ્ટ્ર વીરોને યાદ કરવાનો અવસર તો છે જ પરંતુ સાથે સાથે દેશ માટે સમર્પિત થવાનો અવસર છે તેમ જણાવી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે ત્યારે વિકાસયાત્રામાં પણ સહભાગી થવા તેઓએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ સ્વરાજની સ્થાપના કરી હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સુરાજ્યની સ્થાપના થઈ છે. પોરબંદરના સુદામા ચોક ખાતેથી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પોરબંદરના વિવિધ માર્ગોમાં સહભાગી થઈ પ્રજાજનોને શુભકામના પાઠવી હતી.

Most Popular

To Top