National

દોઢ વર્ષ બાદ ફરી કોર્ટમાં વકીલો દલીલ કરશે,ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ પરિસરમાં આવશે

છેલ્લા દોઢ વર્ષથી કોરોના ( CORONA) રોગચાળો દેશમાં તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ ( COURT) સુનાવણી થઈ રહી છે. પરંતુ હવે કોરોના વાયરસનો ( CORONA VIRUS) કહેર થોડો ઓછો થઈ ગયો છે. આ પછી કોર્ટ પરિસરમાં ફરી સુનાવણી કરવાની તૈયારી ચાલી રહી છે. દોઢ વર્ષ પછી ફિજીકલ અદાલત ( Physical court) ફરીથી સુપ્રીમ કોર્ટ ( SUPREME COURT) માં શરૂ થવાની છે. એટલે કે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં વકીલો કોર્ટરૂમમાં ન્યાયાધીશની સામે દલીલ કરશે.

ટોચની કોર્ટે વકીલોને ફિજીકલ સુનાવણીનો ભાગ બનવાની વિનંતી કરી છે. એટલું નહીં, સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક કેસમાં ન્યાયિક આદેશ દ્વારા વકીલોને કોર્ટમાં આવીને દલીલ કરવા જણાવ્યું છે.જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે શુક્રવારે ઉત્તર પ્રદેશને લગતી ફોજદારી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. ખંડપીઠે આ કેસના બંને વકીલોને ત્રણ અઠવાડિયા પછી યોજાનારી આગામી સુનાવણીમાં આવીને દલીલ કરવા જણાવ્યું છે. બંને પક્ષના વકીલોએ શારિરીક ચર્ચા માટે પણ સંમતિ દર્શાવી છે.

ન્યાયાધીશ રાવે કહ્યું કે, આપણે કોઈક સમયે શારીરિક ચર્ચા શરૂ કરવી પડશે. એક દિવસ આપણે ફરીથી સામાન્ય સિસ્ટમ અપનાવવી પડશે. તે ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટના લગભગ તમામ ન્યાયાધીશોએ કોવિડ -19 ની રસી લીધી છે. આવી સ્થિતિમાં, હવે તે સમય આવી ગયો છે, જ્યારે ફિજીકલ અદાલત શરૂ કરી શકાય. ગયા વર્ષે 23 માર્ચથી સુપ્રીમ કોર્ટમાં વર્ચુઅલ રીતે કેસની સુનાવણી ચાલી રહી છે.

જણાવી દઈએ કે ઘણી વખત વકીલો દ્વારા ફરીથી ફિજીકલ અદાલત શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. પરંતુ કોવિડ -19 ( COVID 19) ના વધતા જતા ચેપને કારણે આ શક્ય નહોતું. ઉનાળાના વેકેશન બાદ સુપ્રીમ કોર્ટના લગભગ તમામ ન્યાયાધીશો (થોડા અપવાદોને બાદ કરતા) હવે કોર્ટરૂમમાં સુનાવણી માટે બેઠા છે. તેમ છતાં ચર્ચા વર્ચુઅલ માધ્યમથી થઈ રહી છે.

Most Popular

To Top