રાજ્યમાં નવા વર્ષના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) હેઠળના પ્રવેશની કાર્યવાહી શરૂ થઈ નથી....
કોરોનાના સંક્રમણના કેસોના કારણે છેલ્લા બે માસથી નહીં યોજાયેલી ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક આગામી તા.15મી જૂને યોજાનાર છે. ખાસ કરીને રાજ્ય સરકાર...
તાજેતરમાં મે 17 અને 18ના રોજ સૌરાષ્ટ્રમાં દિવ અને ઉનાની વચ્ચે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતને વિવિધ ક્ષેત્રમાં 9836 કરોડનું નુકસાન થયું...
આગામી ડિસે. 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરીને સરકાર બને તે દિશામાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કવાયત શરૂ કરાઈ છે....
રાજ્યમાં જે રીતે કોરોનાના નવા કેસની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે, તે જોતા ચોક્કસ લાગી રહ્યું છે, કે હવે ટુંક સમયમાં...
રિયા ચક્રવર્તી (Riya chakraborty)એ એનસીબી (NCB)ને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત (Sushant sing rajput) અને સારા (sara ali khan) કેદારનાથ (Kedarnath)ની...
જમ્મુ-કાશ્મીર (J&K)ના માતા વૈષ્ણો દેવી (Veshnodevi temple) ભવન પાસે આગ (Fire in bhavan) ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક વહીવટીતંત્ર (Admin dept)...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારે (Gujarat Government) આ વખતે આઇ.ટી.આઇ. (ITI) અને નર્સિંગના (Nursing) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass...
રાજપીપળા: કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. એપ્રિલ મહિનામાં...
દોહા : ભારતીય ફૂટબોલ ટીમ (Indian football team)ના કેપ્ટન (captain) અને પ્રભાવશાળી સ્ટ્રાઇકર (striker) સુનિલ છેત્રી (sunil chhetri) આર્જેન્ટીના (Argentina) ના સુપરસ્ટાર...
નવી દિલ્હી: (Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂનથી રાજ્યોને નિશુલ્ક રસી (Free Vaccine) આપવાની ઘોષણા કર્યાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર...
તાજનાગરી આગ્રા (agra)ની પારસ હોસ્પિટલ (paras hospital) સતત બે દિવસથી હેડલાઇન્સમાં છે. હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા કોરોના બીજા તરંગ (corona second wave)દરમિયાન ઓક્સિજનનો...
કરાચી: પાકિસ્તાન (pakistan)ના દક્ષિણી સિંધ પ્રાંતમાં બે મુસાફર ટ્રેનો (passenger train) વહેલી સવારે અથડાઇ પડતા ઓછામાં ઓછા 50 નાં મોત (death) થયા...
સુરત: (Surat) કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર અને જિલ્લામાં અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા છે. ઘણા પરિવારો એવા છે જેમની...
સુરત: કોરોનાની પ્રથમલહેરમાં ડાયમંડ ટ્રેડિંગના હબ મુંબઇમાં હીરા બજારો (Diamond Market) અને ડાયમંડ બુર્સ બંધ રહેવા સાથે આંતરાષ્ટ્રીય કાર્ગો ફલાઇટ પણ બંધ...
સુરત: (Surat) 2014માં બનેલી હોલીવૂડના વિખ્યાત અમેરિકન એક્શન, હોરર, થ્રીલર મૂવી ‘જિન’ (Movie Jinn) પર આધારિત મલયાલી અને હિન્દીભાષામાં બનેલી ‘જિન’ ફિલ્મનું...
સુરત: (Surat) સુરતના બહુચર્ચિત અને લાંબા સમય સુધી નિર્માણાધિન રહેનારા પાલ ઉમરા બ્રિજના (Pall Umra Bridge) દિવસો હવે બદલાઈ શકે છે. આ...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ઉચ્ચ પદાધિકારીઓ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જે વિન્ડો છે તેનો સંપૂર્ણ ઉપયોગ ઇન્ડિયન...
નવી દિલ્હી: (Delhi) ખાનગી અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા વેતન મેળવતા લોકો ટૂંક સમયમાં તેમની નોકરીના (Job) સમય, ગ્રેચ્યુઇટી, પીએફ અને પગાર...
સુરત: (Surat) સુરતમાં વહેલી સવારે ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. બે કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદથી વરાછા, કાદરશાની નાળ સમેત અનેક વિસ્તારોમાં...
નવી દિલ્હી: (Delhi) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ...
નવી દિલ્હી: (Delhi) મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakre) મંગળવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નિવાસસ્થાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)...
એક તરફ નવસારી જતો મુખ્ય માર્ગ તો બીજ તરફ અમલસાડનો મુખ્ય માર્ગ આવેલો હોય રસ્તા થકી ગણદેવી તાલુકાનું નાનકડું ગામ અજરાઇ, અમલસાડ,...
અંબિકા નદીના કિનારે વસેલું ગણદેવા ગામ ગણદેવી તાલુકાનું છેવાડાનું ગામ છે. અંદાજે 7000 થી વધુ વસ્તી ધરાવતા ગામના સરપંચ તરીકે સતીષ કટારિયા...
કોરોનાની આચારસંહિતા મુજબ સરકારી કચેરીઓ 50% સ્ટાફ સાથે કામ કરી રહી છે. કામનું ભારણ વધારે હોવાથી પહેલાં અરજદારોને ધક્કા ખવડાવવામાં આવતા હતા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
સોમવારીય સત્સંગ પૂર્તિમાં વી.એન.ગોધાણી હાઈસ્કૂલના કર્તવ્ય-ધર્મનિષ્ઠ સંગીત વિશારદ સંગીત ટીચર જાગૃતિબેન જાનીએ ‘મારો ઈશ્વર – મારો ધર્મ’લોકપ્રિય કટારમાં ‘આ દિવસો પણ ચાલ્યા...
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી...
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ક્ષમતા વધારવા તાત્કાલિક પગલા લેવામાં આવે
અમદાવાદ
ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને નાઈટ્રોજન ફોસ્ફરસ – પોટેશ્યમ-K (NPK) પાયાનું ખાતર છે. જયારે યુરીયા પુરક ખાતર છે. એક તરફ ખાતરના ઉત્પાદનમાં ઘટાડો, સરકાર તરફથી સબસીડીમાં ઘટાડો અને બીજી તરફ ખેડૂતો માટે સીઝન સમયે જરૂરી ખાતર મેળવવા કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડી રહ્યું છે અને કાળા બજારીયાઓ બેફામ છે. ત્યારે ભાજપ સરકારનો મોટો દાવો કરેલો “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રમાં હવે ખાલી સ્લોગન સાબિત થયો છે, તેવું પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતુ કે ભારત હજુ પણ ખાતરમાં ભારે આયાત પર આધારિત છે. કુલ NPK માંગના માત્ર ૬૫-૭૦% જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે બાકીના ૩૦-૩૫% અસ્થિર વૈશ્વિક બજારો પર આધારિત છે. કુલ ખાતરનો વપરાશ ૨૮.૫% વધીને ૨૦૧૪-૧૫માં ૨૫.૬ મિલિયન ટનથી ૨૦૨૪-૨૫માં ૩૨.૯ મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર (વપરાશનો મુખ્ય ભાગ ૨૨+ મિલિયન ટન) હજુ પણ ભારે આયાત પર આધારિત છે. ફોસ્ફેટિક ખાતરમાં ૩૦-૪૦% આયાતનો અંતર છે. પોટાશ, ૧૦૦% આયાત પર આધારિત (વાર્ષિક સરેરાશ ૨.૫ મિલિયન ટન) કેનેડા, રશિયા, ઇઝરાયેલ અને જોર્ડન પરથી છે. ૨૦૨૬ની ખરીફ સીઝન માટે ૩૯ મિલિયન ટન માંગ છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર ૧૮ મિલિયન ટન જ છે આ ખતરનાક અંતર છે. લાંબા ગાળાના આત્મનિર્ભરતાને બદલે કેન્દ્ર સરકાર ઇમરજન્સી આયાત, સબસિડી વધારવા અને હોર્ડિંગ વિરુદ્ધ આદેશો જારી કરી રહી છે. આ નીતિ નથી, માત્ર કટોકટી વ્યવસ્થાપન છે.
કેન્દ્રીની ભાજપ સરકારે ખાતરની સબસીડી મેટ્રિક ટન દીઠ ફિક્સ કરી દેતા ડોલરનું ભાવ વધારો થાય તેનું માર ખેડૂતોને ભોગવવો પડે છે. છેલ્લા બે વર્ષથી સરકાર યુરિયામાં નેનો યુરીયા લાવેલ છે. પરંતુ તે પાક માટે ગુણવત્તા યુક્ત અને અસરકારક નથી. છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ગુજરાતના ખેડૂતોને મળતું નથી. આથી ખેડૂતોને ખેતીના પાકમાં અપૂરતા ખાતરથી નુકસાન થઇ રહ્યું છે. ખરીફ સીઝન માટે ખાતરના ભાવ તરત જ સ્થિર કરો. ઘરેલુ યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ક્ષમતા વધારવા તાત્કાલિક પગલાં લો. ખેડૂતોની સમસ્યાઓ માત્ર આંકડા નથી તે રાષ્ટ્રીય કટોકટી છે. કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોની સાથે છે અને આ સંકટને કાર્પેટ નીચે દબાવવા દઈશું નહીં.