હેરી પોટર હોય કે પછી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (Mister India Film) આપણે તેમાં લોકોને ગાયબ થતા જોયા છે પણ વાસ્તવિકમાં આવું કઈ...
નોવોસેલિત્સ્યા: છેલ્લા 26 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યુ છે, જેની મોટાભાગની અસર યુક્રેન પર જોવા મળી રહી...
વલસાડ: વલસાડ (Valsad) શહેરમાં ટ્રાફિક (Traffic) સમસ્યા (Problem) લોકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. શહેરના સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, રૂરલ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં ઉનાળાની (Summer) ઋતુમાં કુદરતી ઋતુચક્રએ સતત મિજાજ બગાડતા ડાંગી જનજીવન દ્વિધામાં મુકાયુ છે. અગાઉ પણ ડાંગ જિલ્લામાં...
હાલનાં આ વૈજ્ઞાનિક યુગે (scientific age) આપણને ઘણી બધી એવી મશીનો સાથે આપણો પરિચય કરાવ્યો છે જેણે આપણી લાઈફસ્ટાઈલને સરળ બનીવી દીધી...
જામનગર: જામનગરથી (Jamnagar) આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. જામનગરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો રાતોરાત લાપતા થઇ ગયા છે. આ ઘટનાની જાણ...
નવી દિલ્હી: પુષ્કર સિંહ ધામી(Pushkar Singh Dhami) ઉત્તરાખંડ(Uttarakhand)ના નવા મુખ્યમંત્રી(Chief Minister) બનશે. ભાજપ(BJP) હાઈકમાન્ડે ફરી એકવાર ધામીના નામ પર સંમતિ આપી છે....
નવી દિલ્હી: એક છોકરાએ આખી મેટ્રો ટ્રેન (Metro Train) બુક (Book) કરાવી લીધી હતી. પ્રવાસ દરમિયાન ટ્રેનમાં અડધો ડઝન મિત્રો (Friends) સાથે...
નવી દિલ્હી: એન. બીરેન સિંહે (N. Biren Singh)સોમવારે બીજા વાર મણિપુર(manipur)ના મુખ્યમંત્રી(cm) બન્યા છે. તેમણે ઈમ્ફાલ(Imphal)માં સીએમ પદના શપથ લીધા હતા. એન.બીરેન...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ચૂંટણી (election) જીતવા આમ આદમી પાર્ટીએ (AAP) કમર કસી નાંખી છે. આમ આદમી પાર્ટીએ ડોક્ટર સંદીપ પાઠકને (Dr....
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વહેલી યોજાવાના સંકેત મળી રહ્યાં છે. સરકારે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમયે...
નડિયાદ: ગત ૧૪મી માર્ચનાં દિવસે રાત્રીના સમયે નડિયાદ(nadiyad) નજીક અકસ્માત(accidant)માં મૃત્યુ પામેલા અમદાવાદ(Ahmadabad)ના ૪ યુવકોની હત્યા (murder) કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર...
સુરત : (Surat) કતારગામ ખાતે રહેતો અને મહિધરપુરામાં સોફ્ટવેર (Software) કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરે (Engineer) કંપનીને આપવાનું કામ સમયસર પૂર્ણ નહીં કરી...
નવી દિલ્હી: ધી કાશ્મીર ફાઇલ્સ (TheKashmirFiles) એવી જ એક ફિલ્મ છે, જે લોકોના દિલને સ્પર્શી રહી છે. આ ફિલ્મ દેશમાં જ નહીં...
આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા સહિત પાંચ તાલુકાના દોઢ સો ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાય તેવો ભય ઊભો થયો છે....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવની શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસ અને પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો. ત્રણ દિવસમાં પાંચ...
ભરૂચ: ભરૂચના (Bharuch) રાજીવ નગર ઝુપડપટ્ટીમાં નાના છોકરાઓ ગેમ (Game) રમવા બાબતે અંદરોઅંદર ઝઘડો થયો હતો.તેઓનું ઉપલાણું લઈને રિક્ષા ડ્રાઈવર શખ્સના માથામાં...
વડોદરા : કરજણ મિયાગામ ખાતે ખેતરની બાજુમાં આવેલ 80 થી 90 ફૂટ ઊંડા કૂવામાં શ્વાનના બચ્ચાં પડી ગયા હતા. જેની જાણ થતાં...
બેઇજિંગ: ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો...
વડોદરા: શહેરના તરસાલી ધનિયાવી રોડ પાસેના સેવાતીર્થ આશ્રમ ખાતે વહેલી સવારે છત ધરાશાયી થઇ જતાં ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. સારવાર અર્થે...
વડોદરા: શહેરના હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલ બેન્કર હાર્ટ એન્ડ મલ્ટી- સ્પેશ્યાલિટી ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગોરવા વિસ્તારના વૃધ્ધાનું મોત થતા...
હથોડા: સુરત (Surat) લાલ દરવાજા ખાતે રહેતા હીરાલાલ છગનભાઈએ કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા બોરસરા (Borsara) ગામે આવેલા પોતાના પ્લોટને...
અમદાવાદ: પહેલી અને બીજી પત્નીને સાથે રાખવાના ઝઘડામાં જમાઈએ સાસુને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદનાં બાપુનગરમાં રહેતા...
ગાંધીનગર : આજે આંતરરાષ્ટ્રીય વન દિવસ (International Forest Day) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે વડનું વૃક્ષ વાવીને ‘નમો...
ગાઉના ૧૮ લેખોમાં જુદા જુદા માધ્યમ દ્વારા આપણે ૐ અને પરમાત્માને સમજવા માટેના પ્રયત્નો કર્યા. આ તમામ પ્રયત્નો જ્યાં સુધી “પરમાત્માની અભિવ્યક્તિ”...
શંકાનિવારણ1. શિવ અનાર્ય દેવ છે?કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ આ વિચાર વહેતો મૂકયો અને તેમના અનુકરણમાં કેટલાક વામણા ભારતીય વિદ્વાનોએ પણ એ વાત સ્વીકારી...
બાર જયોતિર્લિંગમાનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર સનાતનીઓનું સૌથી મોટું આસ્થા કેન્દ્ર છે. અનેકવાર ખંડિત થઇ ફરી ફરીને નિર્માણ પામેલ ગુજરાતનું સોમનાથ...
અક્ષરબ્રહ્મને પામવા માટે આવશ્યક એવાં બે તત્ત્વો બ્રહ્મચર્ય અને વૈરાગ્યના માહાત્મ્યને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ જ શ્લોકમાં અક્ષરબ્રહ્મનો જે અપાર મહિમા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ અત્યારથી જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આજે ભાજપ દ્વારા...
આજની ત્રસ્ત, ગ્રસ્ત અને તનાવયુકત માનવજાત ઝંખે છે શાંતિ, પરમશાંતિ. વિષાદગ્રસ્ત અવસ્થામાંથી પસાર થઇ રહેલી માનવજાતની ઝંખના છે શાંતિ-મનની, તનની અને આત્માની-...
એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘારિયાની નિમણૂક રદ કરાઈ
ફતેહગંજ કસ્ટોડિયલ ડેથ કેસમાં સરકારે બદલ્યા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર
વડોદરા તા.15
વડોદરાના બહુચર્ચિત ફતેગંજ કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેસની સુનાવણી માટે અગાઉ નિયુક્ત કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ને બદલીને નવા SPPની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં શેખ બાબુના મૃત્યુના આક્ષેપોને લઈને ચર્ચામાં રહેલા આ કેસમાં સરકારના આ નિર્ણયને કેસની સુનાવણી માટે મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 દરમિયાન ચોરીના શકમંદ તરીકે ઝડપાયેલા શેખ બાબુ શેખ નિશારને પોલીસ કસ્ટડી દરમિયાન શારીરિક યાતના આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. ફરિયાદ મુજબ પોલીસ દ્વારા કરવામાં આવેલી યાતનાના કારણે તેનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં, ઘટનાને લગતા મહત્વના પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અદાલતે કેસના ત્રણ આરોપીઓની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
આ દરમિયાન ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફતેહગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બદલવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા તા. 2 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ મુજબ આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.અગાઉ 2 એપ્રિલ, 2024ના લીગલ ડિપાર્ટમેન્ટના ઠરાવ મુજબ એડવોકેટ શૈલેન્દ્રસિંહ આઈ. ઘારિયાની આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે સરકારની નવી વિચારણા બાદ તેમની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
તેમના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ-18(8) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વડોદરાના એડવોકેટ અતુલ વ્યાસને નવા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ આ ચર્ચાસ્પદ કેસમાં સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરશે.
સરકારી ઠરાવ મુજબ એડવોકેટ અતુલ વ્યાસને સબઓર્ડિનેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં અસરકારક સુનાવણી દીઠ રૂ.20,000 તથા બિન-અસરકારક સુનાવણી દીઠ રૂ.2,000 મહેનતાણું ચૂકવવામાં આવશે.
આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે ગૃહ વિભાગના નાયબ સચિવ અમૃત પટેલ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આદેશની નકલ એડવોકેટ અતુલ વ્યાસ, એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘારિયા, ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ડીઆઈજી (લો એન્ડ ઓર્ડર), જિલ્લા ન્યાયાધીશ વડોદરા તેમજ જિલ્લા સરકારી વકીલને મોકલવામાં આવી હોવાનું સરકારી ઠરાવમાં જણાવાયું છે.