રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
સુરત : ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટ અને લોધીકામાં 8 ઇંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાત પર છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ લાવનાર ડિપ ડિપ્રેશનની સિસ્ટમ હાલમાં પાટણથી 10 કિમી દૂર ગુજરાત – પાક બોર્ડર પર સ્થિર રહેલી છે. જે પશ્વિમ – દક્ષિણ – પશ્વિમ દિશામાં આગળ વધી રહી છે. આ સિસ્ટમનો વ્યાપ એટલો મોટો છે કે તેણે આખુ ગુજરાત આવરી લીધુ છે.રાજયમાં રવિ, સોમ અને મંગળવાર સુધીના ત્રણ દિવસની અંદર 15 લોકોનું મૃત્યુ થયુ છે. જયારે 1700 લોકોનું રેકસ્યૂ કરાયુ છે. એકલા ગાંધીનગરના દહેગામ ખાતે બે તળાવ ઓવર ફલો થઈ જતાં , નીચાણવાળા વિસ્તારમાંથી 108 લોકોને બચાવી લેવાયા છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ , રાજયમાં આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ માટેનું રેડ અલર્ટ જારી કરાયુ છે. જેમાં ખાસ કરીને ખેડા , અમદાવાદ, આણંદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર, વડોદરા , છોટા ઉદેપુર , ડાંગ , તાપી, સુરત , નર્મદા, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી , સરેન્દ્રનગર , રાજકોટ , જામનગર, પોરબંદર , જુનાગઢ , અમરેલી, ભાવનગર, મોરબી , દ્વારકા, ગીર સોમનાથ , બોટાદ , કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ભારે વરસાદથી 15 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આ ભારે વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તેવામાં જુદા જુદા બનાવોમાં 15 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ ગઈકાલે જન્માષ્ટમીએ ગાંધીનગરના કલોલ શહેરમાં એક મકાનની દિવાલ પડી જતા બે વ્યક્તિઓનું દટાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આણંદના તારાપુર નજીકના ઈસરવાડા ગામે તેમજ બોરસદના સિસ્વા ગામે પાણીમાં ડૂબી જતા બે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ ઉપરાંત ખેડાના અલીણા ગામે એક મકાનની દિવાલ ઘસી પડતા એક વ્યક્તિ દટાઈ જતા મૃત્યુ પામ્યું છે, તેમજ વડોદરાના સાવલી ગામે દિવાલ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ ઉપરાંત હળવદ તાલુકાના ઢવાણા ગામે ધસમસ્તા પાણીમાં એક ટ્રેક્ટર ડૂબી જતાં ટ્રેક્ટરમાં સવાર 17 લોકો પૈકી પાંચ વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા છે. હળવદ તાલુકાના ધણાદ ગામે પાણીના પ્રવાહમાં રીક્ષા તળાઈ જ ગઈ હતી. આ રીક્ષામાં બેઠેલ 5 વ્યક્તિઓ પૈકી એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. તેવી જ રીતે મળતી માહિતી મુજબ બુટાવાડા ગામ પાસેની એક નદીમાં એક વ્યક્તિ તળાઈ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.અમદાવાદમાં પણ મણિનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે. આમ રાજ્યભરમાં જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે તા.27મી ઓગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટમાં 8 ઈંચ , લોધીકામાં 8 ઈંચ , રાજકોટના કોટડા સાંગાણીમાં 8 ઈંચ ,દ્વારકાના કલ્યાણપુરમાં સાડા સાત ઈંચ , ખંભાળીયામાં સાડા સાત ઈંચ , જામનગરમાં 7.3 ઈંચ, ભાણવડમાં 7 ઈંચ , પોરબંદરના રાણાવાવમાં 6.6 ઈંચ , કાલાવાડમાં 6.5 ઈંચ , પોરબંદરમાં 6 ઈંચ , જામજોધપુરમાં 6 ઈંચ , લાલપુરમાં 5.4 ઈંચ , ગોંડલમાં 5.3 ઈંચ , દ્વારકામાં 5 ઈંચ , જામકંડોરણામાં 4.7 ઈંચ , ધોરાજીમાં 4.7 ઈંચ , ચોટીલામાં 4 ઈંચ , વિસાવદરમાં 4 ઈંચ , કેશોદમાં 4 ઈંચ , નડિયાદમાં 4 ઈંચ , વંથલીમાં 4 ઈંચ , વાંકાનેરમાં 4 ઈંચ , મહુધામાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 112 તાલુકાઓ એવા છે કે જયા 1થી 8 ઈંચ જેટલો વરસાદ થયો છે.
જન્માષ્ટમીએ ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન એટલે કે જન્માષ્ટમીએ મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ચરોતર વિસ્તાર એટલે કે, સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.વધુમાં, ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ તેમજ અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.
આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.