National

લાલુ યાદવની તબિયત લથડી, રિપોર્ટમાં આ ચોંકાવનારી વાત સામે આવ્યા બાદ દિલ્હી લઇ જવાની તૈયારી

તેજસ્વી યાદવે (tejshavi yadav) કહ્યું કે મારા પિતા લાલુ પ્રસાદ યાદવના ફેફસામાં પાણી જામી ગયું છે. તેમણે કહ્યું કે મારા પિતાને ન્યુમોનિયા થયો છે, જે આ ઉંમરે સારું નથી. ગુરુવારે લાલુ યાદવ (lalu yadav) ને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, તપાસ બાદ લાલુ ન્યુમોનિયાથી પીડિત હોવાનું બહાર આવ્યું છે. આ કારણે લાલુના ચહેરા પર સોજા આવી ગયા છે.

તેજસ્વી અને તેજ પ્રતાપ તેમના પિતાને રિમ્સમાં મળ્યા હતા. લાલુની કિડનીને ચેપ છે, ચહેરા પર સોજો આવે છે. રાંચીના રિમ્સમાં સારવાર લઈ રહેલા લાલુ પ્રસાદ યાદવની હાલત ચિંતાજનક છે. લાલુના પુત્ર તેજસ્વીના કહેવા પ્રમાણે લાલુ યાદવના ફેફસાંમાં પાણી જામી ગયું છે અને તેનો ચહેરો સોજો થઈ ગયો છે. લાલુ યાદવની હાલત જોઈને તેમને દિલ્હી એઇમ્સ (aiims) માં દાખલ કરી શકાય છે.

દરમિયાન શુક્રવારે મોડી સાંજે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડીદેવી (rabdi devi) , પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ પ્રધાનો તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી લાલુ યાદવને મળ્યા હતા.

તાજેતરમાં મળેલી માહિત મુજબ લાલુ યાદવની તબિયત સતત બગડતી જઈ રહી છે, આ જોતા તેમને દિલ્હી સ્થિત એઈમ્સમાં ખસેડવાની તૈયારી ચાલી રહી છે. ડોકટરોના બોર્ડ તરફથી રિપોર્ટ આવતાની સાથે જ જેલ પ્રશાસન નીચલી અદાલતથી તેની મંજૂરી લેશે. શક્ય છે કે લાલુ યાદવને આજે દિલ્હી ખસેડવામાં આવશે. દરમિયાન રબારી દેવી ફરી એકવાર લાલુના વોર્ડમાં પહોંચી ગઈ છે.

આ અગાઉ ગઈકાલે મોડીરાત્રે લાલુ યાદવને મળ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે લાલુ યાદવની હાલત ચિંતાજનક છે. ઘાસચારા કૌભાંડમાં દોષી ઠેરવ્યા બાદ લાલુ યાદવ રાંચી જેલમાં બંધ છે. તે લાંબા સમયથી રાંચીના રિમ્સ ખાતે સારવાર લઈ રહ્યા હતા.

મોડી રાત્રે લાલુ યાદવને મળ્યા બાદ બહાર આવેલા તેજસ્વી યાદવે કહ્યું કે લાલુ યાદવની હાર્ટ સર્જરી ભૂતકાળમાં કરવામાં આવી છે. તેજસ્વીએ કહ્યું કે તેમના પિતાની કિડની માત્ર 25 ટકા કામ કરે છે, લાલુ યાદવના ક્રેટિનિનનું સ્તર પણ વધ્યું છે. આ બધામાં, ફેફસાના ચેપ એ ચિંતાનો વિષય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top