Dakshin Gujarat

નવસારીના ખેરગામમાં સગા બાપે કુહાડી મારી ઊંઘતા પુત્રના માથાના બે ફાડચા કરી નાંખ્યા

નવસારી: નવસારીના (Navsari) ખેરગામ (Khergam) તાલુકામાં નારણપોર ગામે પિતાએ (Father) પુત્રની (Son) નિર્દયપૂર્વક હત્યા (Murder) કરી હોવાની ઘટના સામે આવી છે. પિતાએ પુત્રના માથામાં કુહાડી ઝીંકી તેના માથાના બે ફાડ્યા કરી નાખ્યા હતા. ખેરગામ પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ પોલીસે પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • ખેરગામ તાલુકામાં પિતાએ પુત્રની હત્યા કરી
  • બેરોજગાર પુત્રની પૈસાની માંગણીથી કંટાળીને પિતાએ કુહાડીથી હત્યા કરી
  • પુત્ર જ્યારે સવારે ભર ઊંઘમાં હતો ત્યારે જ પિતાએ કુહાડીથી તેના માથા પર હુમલો કર્યો
  • હત્યારા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રના માથાના બે ફાડ્યા કર્યા

ખેરગામ તાલુકાના નારણપોર ગામે ભગુભાઈ પટેલે તેના 20 વર્ષીય પુત્રની હત્યા કરી નાખી હતી. પુત્ર ગણેશ ભર ઊંઘમાં હતો ત્યારે જ તેના પિતાએ તેની પર કુહાડીથી હુમલો કર્યો હતો. અને તેના માથાના બે ફાડ્યા કરી નાખ્યા હતા. પુત્રના ઊંઘમાં જ રામ રમી ગયા હતા. હત્યા અંગેની પ્રાથમિક માહિતી પ્રમાણે પુત્ર ગણેશ બેરોજગાર હતો અને તે વારંવાર તેના પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. તેથી કંટાળીને ગણેશના પિતા ભગુ પટેલે તેની હત્યા કરી નાખી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતો હતો. અને તેનો પુત્ર ગણેશ બેરોજગાર હતો. ગણેશ અવારનવાર પિતા પાસે પૈસાની માંગણી કરતો હતો. તેની આ પૈસા માંગવાની આદતથી પિતા અને પુત્ર વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. ગણેશની પૈસા માંગવાની હરકતથી તે કંટાળી ગયો હતો. ગતરાત્રીએ પણ પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે ગત રાત્રે ભગુ પટેલે દારૂના નશામાં ડોલમાં જ પેશાબ કરી દેતા ગણેશે તેના પિતાને લાફો મારી દીધો હતો. જેથી ભગુએ તેનું કાસળ કાઢી નાખવાનો રાત્રે જ પ્લાન બનાવીને સવારે પરોઢના સમયે પરિવારના એકના એક પુત્ર પર કુહાડી લઈ તૂટી પડ્યો હતો અને પુત્રને ઊંઘમાં જ પતાવી દીધો હતો. પોલસને હત્યાની જાણ થતા દોડતી થઈ ગઈ હતી. ખેરગામ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પિતાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પુત્રની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બનતાં જિલ્લામાં અરેરાટી વ્યાપી છે.

Most Popular

To Top