SURAT

સુરતનાં જાણીતા રાસ-ગરબા ક્લાસમાં કોચિંગ માટે વિધર્મી યુવકને રખાતા બજરંગ દળનો હોબાળો

સુરત: નવરાત્રિને (Navratri) હજુ ઘણો સમય બાકી છે. જોકે યુવા હૈયાઓ ગરબાના (Garba) અવનવા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસોમાં (Garba Class) ભીડ જોવા મળી રહી છે. ત્યારે સુરતના (Surat) અડાજણ વિસ્તારમાં પનઘટ ગરબા ક્લાસીસમાં (Panghat Garba Class) વિધર્મી યુવકને કોચિંગ માટે રાખવામાં આવતા ગીતાંજલિબેન ઈટાલિયાએ બજરંગ દળના કાર્યકરો સાથે હોબાળો મચાવ્યો છે. ભારે વિવાદ બાદ ક્લાસીસના સંચાલકે વિધર્મીને નોકરી (Job) પર ન રાખવાની બાંયધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

  • વિધર્મી પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને દાંડિયા રાસ શીખવાડવા રાખવામાં આવ્યો હતો
  • બજરંગ દળના વિરોધના કારણે ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા માફી માગવામાં આવી
  • બજરંગ દળ દ્વારા યુવતીઓને વિધર્મીઓ દ્વારા થતાં લવ જેહાદ સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવી

હિન્દુત્વ માટે લડતાં ગીતાંજલિબેન ઈટાલિયાએ જણાવ્યું હતું કે અડાજણ સ્નેહ સંકુલની વાડી આનંદ મહલ રોડ ખાતે પનઘટ ગરબા ક્લાસિકના નામે ગરબા ક્લાસીસ ચલાવતાં અનિલ જરીવાળા નામના ઈસમે પોતાના ગરબા ક્લાસમાં એક વિધર્મી પોતાની ઓળખ હિન્દુ તરીકે આપીને દાંડિયા રાસ શીખવાડવા રાખવામાં આવ્યો હતો. આ વાતની ધ્યાને આવતા જ બજરંગ દળના 50 જેટલા કાર્યકરો સાથે ક્લાસીસમાં પહોંચી જઈને વિરોધ કર્યો હતો. બજરંગ દળના વિરોધના કારણે ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા માફી માગવામાં આવી હતી. સાથે જ વિધર્મીને તાત્કાલિક દૂર કરવાની બાયંધરી આપી હતી. સાથે ફરીથી કોઈ વિધર્મીને રાખવામાં ન આવે તે અંગેની ખાતરી પણ આપવામાં આવી હતી. બીજી તરફ બજરંગ દળ દ્વારા યુવતીઓને પણ વિધર્મીઓ દ્વારા થતાં લવ જેહાદ સહિતની બાબતોથી વાકેફ કરવામાં આવી હતી.

ગીતાજલી ઇટાલિયા (બજરંગ દળ, સુરત) એ જણાવ્યું હતું કે નવરાત્રી માતાજીની આરાધનાનો ઉત્સવ છે હિન્દુઓના આ ઉત્સવમાં કોઈ વિધર્મીને ચલાવી નહિ લેવાઇ તેમજ દરેક કલાસીસ ઉપર દેખરેખ રખાશે. ગરબા આયોજન સ્થળ પર પણ બજરંગ દળનાં કાર્યકર્તાઓ નજર રાખશે. નવરાત્રિનાં આયોજનમાં કોઈ વિધર્મીને પ્રવેશ નહિ અપાઈ તેમજ ગરબા સ્પર્ધામાં પણ કૂ વિધર્મી હશે તો આયોજક સામે પગલાં ભરાશે.

Most Popular

To Top