Sports

બુમરાહ શ્રીલંકા સામેની વનડે સીરીઝમાંથી આઉટ

નવી દિલ્હી: ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચેની T20 સિરીઝ (T20 Series) પૂરી થઈ ગઈ છે, જે ભારતીય ટીમે (Team India) જીતી લીધી છે અને હવે ODI સિરીઝનો વારો છે, જેમાં ત્રણ મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયાના મોટા ખેલાડીઓ વન ડે શ્રેણીમાં વાપસી કરી રહ્યા છે. તેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા નામ સામેલ છે, પરંતુ વનડે શ્રેણી શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. હવે સુકાની રોહિત શર્માને આ સંકટમાંથી બહાર આવવું પડશે, કારણ કે શ્રીલંકાની ટીમે ટી-20 શ્રેણીમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે વનડે શ્રેણી પણ આસાન બનવાની નથી. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે શ્રેણીમાં સ્ટાર પ્લેયપ જસપ્રીત બુમરાહ ટીમમાં જોવા મળશે નહીં.

શ્રીલંકા સામેની વનડે શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજા બાદ વાપસી કરી રહેલો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ હવે આ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જસપ્રીત બુમરાહને અગાઉ આ શ્રેણીનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો, પરંતુ બાદમાં BCCI તેને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

જસપ્રીત બુમરાહ થશે બહાર
મળતી માહિતી અનુસાર જસપ્રીત બુમરાહ હજુ બાકીના ખેલાડીઓ સાથે ગુવાહાટી નથી પહોંચ્યો જ્યાં ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીએ પ્રથમ વનડે રમવાની છે. BCCI દ્વારા 3 જાન્યુઆરીએ ODI ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એવું લાગ્યું કે જસપ્રીત બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.

પરંતુ વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતી નથી. કદાચ આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે, જેથી કોઈ ઉતાવળ ન થાય અને તેને પરત ફરવા માટે પૂરો સમય મળે. તમને જણાવી દઈએ કે ઋષભ પંત પહેલેથી જ કાર અકસ્માતને કારણે ઘાયલ છે અને તેના વર્લ્ડ કપમાં ભાગ લેવા પર હજુ પણ શંકા છે.

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બર 2022થી ક્રિકેટ એક્શનથી દૂર છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી રમાઈ હતી, જેમાં જસપ્રીત બુમરાહે ભાગ લીધો હતો. જે બાદ તે ઈજાના કારણે ટીમની બહાર રહ્યો હતો, જસપ્રીત બુમરાહે એશિયા કપ, ટી20 વર્લ્ડ કપ 2022માં ભાગ લીધો ન હતો.

ODI શ્રેણી માટે બંને ટીમોની ટીમ
ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શુભમન ગિલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

શ્રીલંકા ટીમ: દાસુન શનાકા (કેપ્ટન), નુવાનિડુ ફર્નાન્ડો, અવિષ્કા ફર્નાન્ડો, એશેન બંદારા, પથુમ નિસાન્કા, ધનંજય ડી’સિલ્વા, ચરિત અસલંકા, ચમિકા કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા (વિકેટકીપર), પ્રમોદશાંકા, પ્રમોદશાન, પ્રમોશન ડુનિથ વેલેજ, જેફરી વાન્ડર્સે, કાસુન રાજીથા, લાહિરુ કુમારા અને મહિષ તિક્ષ્ણા.

ODI શ્રેણી શેડ્યૂલ:
10 જાન્યુઆરી – પ્રથમ ODI, ગુવાહાટી, બપોરે 1.30 કલાકે
12 જાન્યુઆરી – બીજી ODI, કોલકાતા, બપોરે 1.30 કલાકે
15 જાન્યુઆરી – ત્રીજી ODI, તિરુવનંતપુરમ, બપોરે 1.30 કલાકે

Most Popular

To Top