National

ભારતના બજારોમાં દિવાળીના તહેવાર દરમ્યાન 400થી 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે મોત

નવી દિલ્હી: ભારતના (India) કટ્ટર દુશ્મન ચીનનું (China) કાવતરું માત્ર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સુધી મર્યાદિત નથી, પરંતુ દિવાળીના (Diwali) અવસર પર તે હવે તમારા બધા સુધી પહોંચવા જઈ રહ્યું છે. આ માટે ચીને એવું નાપાક ષડયંત્ર રચ્યું છે. ચીનની (China) નજર ભારતના સૌથી મોટા તહેવાર પર ઘરે-ઘરે હોબાળો મચાવવા પર છે. ચીનના આ ષડયંત્રને કારણે તમારા ઘરમાં પણ અશાંતિ આવી શકે છે. તેથી ચીનના ષડયંત્ર સામે સજાગ રહેવાનો સમય આવી ગયો છે. થોડી બેદરકારી તમારા અને તમારા પરિવાર માટે ઘાતક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે ચીને ડેથ પાઉડર તૈયાર કર્યો છે.

ચીને ડેથ પાવડર બનાવ્યો
વાસ્તવમાં ચીને દિવાળીના અવસર પર એવો ડેથ પાઉડર બનાવ્યો છે, જે અજાણતા જ તમારા ઘરે વિવિધ રૂપમાં પહોંચી રહ્યો છે. કેટલાક ઘરોમાં તે પહોંચી ચૂકયો છે. આ પાવડર એટલો ખતરનાક છે કે તે જીવલેણ બની શકે છે. આ પાઉડરને તમારા ઘરે લાવવા માટે ચીને એવો પ્લાન બનાવ્યો છે કે તમે કદાચ ધ્યાન પણ નહીં રાખો, પરંતુ હવે ચીનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તમારા પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓને પણ દૂર રાખશું તો જ આ મોટા સંકટને ટાળી શકાય એમ છે.

તમારા ઘરે કેવી રીતે પહોંચે છે ખાંડનો પાઉડર
વાસ્તવમાં દિવાળીના અવસર પર ભારતમાં મીઠાઈનો મોટો વેપાર થાય છે. આ દિવસે લગભગ દરેક ઘરમાં મીઠાઈ પહોંચે છે. ભલે લોકો તેને જાતે ખરીદે અથવા તેને ભેટ તરીકે મેળવે. ચીન આ સારી રીતે જાણે છે. મળતી માહિતી મુજબ ચીને આ બાબતનો લાભ લેવા માટે તેણે મીઠાઈમાં મિક્સ કરવા માટે ખાસ પાવડર બનાવ્યો છે. આ પાવડરમાં બદામ પણ નાંખવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ મીઠાઈઓમાં સ્વાદ અને સુગંધ માટે પણ કરવામાં આવે છે. આ પાઉડરની અદ્ભુત વાત એ છે કે મીઠાઈ બગડી જાય તો પણ તમને ઘણા દિવસો સુધી દુર્ગંધ આવતી નથી. જો કોઈ વ્યક્તિ તે મીઠાઈ ખાય છે, તો તે તેના જીવન માટે તે ઘાતક બની શકે છે.

400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે મોત
ચાઈનાથી આવતા આ પાવડરની કિંમત માત્ર 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો છે. તે બજારોની તમામ કરિયાણાની દુકાનો પર પહોંચી ગઈ છે, જ્યાંથી તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે કન્ફેક્શનરી સ્ટોર્સમાં થઈ રહ્યો છે. આ ખાંડના પાવડરમાંથી બનેલી મીઠાઈઓ પણ 10 થી 15 દિવસ સુધી ચાલે છે. મીઠાઈ અંદરથી ભલે બગડેલી હોય પણ આ પાઉડર તમને મીઠાઈ ખરાબ થઈ હોય તેની ખબર પડવા દેતો નથી. આ ખાંડનો પાઉડર એટલે કે ડેથ પાઉડર મીઠાઈને બગડવાનો અહેસાસ થવા દેતો નથી. પરંતુ જ્યારે તે તમારા પેટમાં પહોંચે છે, ત્યારે તે લીવર, કિડની અથવા હૃદય પર પ્રતિકૂળ અસર કરી શકે છે, તેની સાથે ફૂડ પોઇઝનિંગ થાય છે.

આ રીતે, સ્વાદ અને રંગના આધારે અસલી અને નકલી મીઠાઈની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ આ કરવાની રીત એ છે કે મીઠાઈના દરેક ટુકડાને ઉકળતા પાણીમાં બે અલગ-અલગ બાઉલમાં નાખો. પછી બંને બાઉલમાં અલગ-અલગ રંગનું આયોડિન નાખો. જો ઉકળતા પાણીમાં ઓગળ્યા પછી મીઠાઈનો રંગ બદલાય છે, તો તે નકલી છે. જો ઉકળતા પાણીમાં આયોડિન નાખ્યા પછી પણ મીઠાઈ તેનો રંગ બદલતી નથી, તો તે વાસ્તવિક છે.

મીઠાઈના રંગોથી પણ ઓળખી શકાય છે, બજારમાં વધુ ચમકદાર મીઠાઈઓ નકલી હોઈ શકે છે. તેને ઓળખવાની રીત એ છે કે આ ચળકતા પદાર્થનો એક નાનો ભાગ હથેળી પર રાખીને તેને સૂકવી લો અથવા બે-ચાર ટીપા પાણીમાં મિક્સ કરી લો. જો તે વાસ્તવિક હશે તો તે ઓગળી જશે અને જો તે નકલી હશે તો તે રહેશે. આ સિવાય મીઠાઈનો ટુકડો લો અને તેને તમારા હાથમાં મેશ કરો. પછી જુઓ કે તેનો રંગ તમારા હાથમાં આવી રહ્યો છે કે નહીં. હાથમાં રંગ આવતો હોય તો નકલી અને રંગ ન આવતો હોય તો અસલી છે.

Most Popular

To Top