Gujarat

વાવમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનો પિતા બીજા વિદ્યાર્થી પર સળિયો લઈને તૂટી પડ્યો

પાલનપુર: પાલનપુરમાં (Palanpure) વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ (exam) એક વિદ્યાર્થીની ઉપર એક શખસે લોખંડના સળિયા વડે હુમલો (Attack) કર્યો હતો. શખસે દિકરાનું ઉપરાણું લઈ જૂની અદાવતનો બદલો લેવા શાળાએ આવી પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • ઢીમાની સંસ્કારી શાળામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોંખડના સળિયા વડે હુમલો
  • બે વિદ્યાર્થી વચ્ચે 15 દિવસ પહેલા બોલાચાલી થઈ હતી
  • પુત્રોનું ઉપરાણું લઈ કરસન રાજપૂત નામનો શખ્સ શાળામાં લોખંડના સળિયા સાથે ધસી આવ્યો
  • ફરજ પરના હાજર શિક્ષકે વિદ્યાર્થીને વધુ મારમાંથી બચાવ્યો
  • આરોપી ઢીમાના બહુચર્ચિત મર્ડર કેસનો મુખ્ય આરોપી

વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાયલમાં ચાલું પરીક્ષાએ એક વિદ્યાર્થી ઉપર એક શખસ લોખંડનો સળિયો લઈ ધસી આવ્યો હતો. અને વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં જ લોખંડના સળિયા વડે મારવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના વર્ગખંડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બે વિદ્યાર્થી વચ્ચે 15 દિવસ અગાઉ સામાન્ય બોલચાલ થઈ હતી. તેમાંથી એક વિદ્યાર્થીના પિતાને મનદુ:ખ થતાં અદાવત રાખી શાળાએ લોખંડના સળિયા સાથે આવી પહોંચ્યો હતો. માહિતી અનુસાર કરસન રાજપૂતે તેના પુત્રનું ઉપરાણું લઈ યોગેશ નામના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.

શાળામાં ફરજ પરના હાજર શિક્ષક આર.એલ માળીએ હુમલોખોરને રોકવાના પ્રયત્નો કર્યા હતા. અને યોગેશને વધુ મારમાંથી છોડાવ્યો હતો. ઘટનાના બનાવ બાદ યોગેશ પેપર છોડી ઘરે દોડી ગયો હતો. આરોપી કરસન રાજપૂત ગનાહિત ઈતિહાસ ધરાવે છે. ઢીમાના બહુચર્ચિત એસ.કે મર્ડર કેસનો મુખ્ય આરોપી છે. તેની ખિલાફ વાવ પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.

બોદાલીમાં યુવાનનો 2 યુવાન પર પથ્થર અને ધારીયાથી હુમલો
નવસારી : બોદાલી ગામે મિત્રની બર્થડે પાર્ટીમાંથી પરત આવતા વાડીની બહાર નીકળતા એક યુવાને 2 યુવાનને પથ્થર અને ધારિયું મારી દેતા 2 યુવાનો ઘવાયા હોવાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, જલાલપોરના પુર્ણેશ્વર ગામે મહાદેવ ફળીયામાં અમિત અશોકભાઈ ભાવે તેમના પરિવાર સાથે રહે છે. ગત 28મીએ અમિત તેના મિત્ર મેહુલ સાથે બોદાલી ગામે જયેશભાઈ આહીરની વાડીમાં મિત્ર યશની બર્થડે પાર્ટીમાં ગયા હતા. જ્યાં બર્થ ડે પાર્ટી પૂરી કરીને સાંજે પરત વાડીના દરવાજાને લોક મારતા હતા. દરમિયાન અચાનક બાજુની વાડીમાંથી બહાદુર બાઘાભાઇ દેવીપુજકે છુટ્ટો પથ્થર મારતા મેહુલને માથામાં વાગ્યો હતો. જેથી મેહુલના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી અમિતે બહાદુરભાઈને પથ્થર કેમ મારેલો તેમ પૂછતાં બહાદુરભાઇ ઉશ્કેરાઈ જઈ વાડીમાંથી બહાર અમિતને અપશબ્દો બોલી લોખંડનું ધારિયું પગમાં મારી દીધું હતું. જેના કારણે અમિતને લોહી નીકળતા મિત્ર અશ્વિને તેઓને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે અમિતના ભાઈ રવિન્દ્રએ જલાલપોર પોલીસ મથકે બહાદુરભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એન.ડી. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top