National

65 વર્ષોમાં ભારતમાં હિન્દુઓની આબાદી 7.8% ઘટી, મુસ્લિમોની આબાદી 43% વધી

નવી દિલ્હી: વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં (Study) દર્શાવવામાં આવ્યું હતુ કે છેલ્લા 65 વર્ષમાં દેશમાં હિન્દુઓની (Hindu) વસ્તીમાં ઘટાડો થયો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન મુસ્લિમોની (Muslims) વસ્તી (Population) વધારો થયો હતો.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ ‘દેશભરમાં ધાર્મિક લઘુમતીઓના હિસ્સાનું વિશ્લેષણ’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે પારસી અને જૈન સમુદાયો સિવાય ભારતમાં તમામ ધાર્મિક લઘુમતીઓની કુલ વસ્તીમાં 6.58%નો વધારો થયો હતો. તેમજ દેશમાં છેલ્લા 65 વર્ષોમાં ભારતમાં હિન્દુઓની આબાદી 7.8% ઘટી હતી તેમજ મુસ્લિમોની આબાદી 43% વધી હતી.

પ્રાપ્ત અહેવાલ મુજબ દેશ આઝાદ થયો ત્યારથી 1950 થી 2015 વચ્ચે હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો હતો. 1950 અને 2015 ની વચ્ચે ભારતમાં બહુમતી ધરાવતી હિંદુ વસ્તીમાં 7.82% નો ઘટાડો થયો હતો. જ્યાં મુસ્લિમ વસ્તીમાં એકંદરે 43.15%નો વધારો જોવા મળ્યો હતો. આ સાથે મુસ્લિમોની વસ્તી જે 1950માં 9.84% હતી તે વધીને 14.09% થઈ હતી. તેમજ ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તીનો હિસ્સો 2.24% થી વધીને 2.36% થયો હતો. શીખ સમુદાયની વસ્તી 1.24% થી વધીને 1.85% થઈ હતી.

65 વર્ષમાં કયા ધર્મની વસ્તી કેટલી વધી કે ઘટી?

  • રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 1950માં હિન્દુઓની વસ્તી 84.68% હતી, જે 2015 સુધીમાં ઘટીને 78.06% થઈ હતી.
  • આ સમયગાળા દરમિયાન મુસ્લિમ વસ્તીનો હિસ્સો 1950 માં 9.84% થી વધીને 2015 માં 14.09% થયો હતો.
  • આઝાદીના ત્રણ વર્ષ પછી દેશમાં ખ્રિસ્તી સમુદાયની વસ્તી 2.24% હતી, જે 2015માં વધીને 2.36% થઈ હતી.
  • 1950માં દેશમાં શીખ સમુદાયના લોકોની સંખ્યા 1.24% હતી, જેમાં વધારો જોવા મળ્યો અને 2015 સુધીમાં તેઓ 1.85% સુધી પહોંચી ગયા હતા.
  • આ સમયગાળા દરમિયાન બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. બૌદ્ધ વસ્તીના હિસ્સામાં 1950 માં 0.05% થી 2015 સુધીમાં 0.81% નો નોંધપાત્ર વધારો થયો હતો.
  • આ સમયગાળા દરમિયાન, જૈન સમુદાયનો હિસ્સો 0.45% થી ઘટીને 0.36% થયો હતો.
  • જ્યારે પારસી વસ્તી 0.03% થી ઘટીને 0.004% થઈ.

Most Popular

To Top