Gujarat Main

નળથી જળ આપવામાં દેશના ટોપ 7 રાજ્યોમાં ગુજરાત અગ્રીમ

ગાંધીનગર: ગુજરાત (GUJARAT) દરેક ઘરને નળથી જળ (NAL SE JAL) પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના 7 બેસ્ટ પરફોરમર રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે. કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના જે 7 રાજ્યોએ જલ જીવન મિશન(MISSION JAL JIVAN)માં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેને વિશેષ પ્રોત્સાહન રૂપે 465 કરોડ રૂપિયાનું વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી છે, જેમાંથી એકલા ગુજરાતને જ 100 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નવી દિલ્હીમાં આ જાહેરાત કરતા ગુજરાતની જલ જીવન મિશનના સફળ અમલીકરણ માટે ગુજરાતને 100 કરોડ ફાળવ્યા છે. દેશના જે અન્ય રાજ્યોને આ વિશેષ પ્રોત્સહક અનુદાન આપવામાં આવ્યું છે તેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર આ વિશેષ પ્રોત્સાહક અનુદાન જે તે રાજ્યોને ઝડપી કાર્ય પદ્ધતિ, નાણાંકીય આયોજન અને ફંડના અસરકારક ઉપયોગ તેમજ પાઇપ લાઇન નેટવર્કની કાર્ય ક્ષમતાના માપદંડોને આધારે આપે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગે ગુજરાતમાં રાજ્યના દરેક ઘરને 2022 સુધીમાં નલ સે જલ અંતગર્ત આવરી લેવાની કામગીરી મિશન મોડમાં ઉપાડી લીધી છે ને આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

રાજ્યમાં કોઈને ફ્લોરાઇડયુક્ત કે ક્ષારવાળુ પાણી પીવાને કારણે હાથીપગો કે હાડકાના રોગો થાય, દાંત પીળાના પડી જાય તેમજ ગ્રામીણ બહેનોને માથે બેડા લઇ દૂર સુધી પાણી ભરવા જવું ના પડે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે હર ઘર જલ પર ફોકસ કરીને સમગ્ર રાજ્યમાં 2022 સુધીમાં 100 ટકા નલ સે જલનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્ય સરકરાના પાણી પુરવઠા વિભાગે આ લક્ષ્ય પૂર્તિ માટે અસરકારક આયોજન કરીને કામગીરી વેગવંતી બનાવી છે. ગુજરાતે આ વર્ષે 25 માર્ચ સુધીમાં 11.15 લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC)ના લક્ષ્યાંક સામે 11.50 લાખ ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (નળ જોડાણ) પૂરા કર્યા છે. એટલું જ નહિ રાજ્યના પાંચ જિલ્લા મહેસાણા, પોરબંદર, બોટાદ આણંદ અને ગાંધીનગર સો ટકા ગ્રામિણ ઘરોમાં નળ જોડાણ(FHTC) ધરાવતા જિલ્લા બન્યા છે.

2022 સુધીમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે તેવું પાણી પુરવઠા વિભાગનું આયોજન
પાણી પુરવઠા વિભાગે વર્ષ ૨૦૨૨ સુધીમાં સો ટકા ગ્રામિણ ઘરોમાં નળ જોડાણોના લક્ષ્યાંક પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી વેગવંતી બનાવી છે. જેને કારણે ગુજરાતના કુલ 92.92 લાખ ગ્રામીણ ઘરોમાંથી 77.10 લાખ ઘરોને નળજોડાણ આપી દેવામાં આવ્યા છે. બાકીના 15.82 લાખ ઘરોમાં સપ્ટેમ્બર 2022 સુધીમાં ફન્કશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન પહોંચાડવામાં આવશે. આ 15.82 લાખ ઘરોમાંથી 3.95 લાખ ઘર માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 5.97 લાખ ઘરો માટે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત 100 લિટર પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ. ૧૩,000 કરોડના વિકાસ કાર્યો હાથ ધર્યા છે. નર્મદા, કેનાલ, મહી, તાપી, મધુબન અને ધરોઇને સાંકળી વોટર ગ્રીડની મદદથી દરેક તાલુકા માટે સોર્સ અવેલેબિલીટી પણ સુનિશ્ચિત કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top