Gujarat

પીએમ મોદીની ગાંધીનગરની મુલાકાતના પગલે રાજકિય નવાજુનીના સંકેત

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.12મી મેના રોજ ગાંધીનગરમા (Gandhinagar) બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવા આવી રહ્યાં છે. જેના પગલે રાજકિય નવાજુની થાય તેવા સંકેત મળી રહ્યાં છે.
પીએમ મોદી ગુજરાતના ભાજપના સિનિયર નેતાઓ સહિત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સિનિયર કેબીનેટ મંત્રીઓ સાથે બેઠક કરશે, જેમાં કેબીનેટનું વિસ્તરણ થાય તેવા સંકેત મળી રહ્યાં છે. હાલમાં મંત્રીમંડળમાં 17 સભ્યો છે. જેમાં વધારો પણ થઈ શકે છે. જયારે ગુજરાત ભાજપના ધારાસભ્યો તથા સિનિયર નેતાઓને બોર્ડ તથા નિગમોમાં સ્થાન મળી શકે છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની ટર્મ પણ પૂરી થઈ રહી છે એટલે તે મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત સિનિયર આઈપીએસ અધિકારીઓની આંતરિક બદલીઓ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.

Most Popular

To Top