Gujarat

વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી, અમદાવાદ ખાતે PM મોદીનું સંબોધન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે સાંજે ગુજરાતના (Gujarat) અમદાવાદ પહોંચશે. નવી સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર ગુજરાત પહોંચશે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજ્યમાં લાંબા સમયથી શાસન કરી રહેલી ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર (CM Bhupendra Patel) પટેલ ત્યાં તેમનું સ્વાગત કરશે. આ પછી રાજ્ય મહિલા ભાજપ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી ગુજરાતમાં તેમના 24 કલાકના રોકાણ દરમિયાન ત્રણ મોટા જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પહોંચશે ત્યારે સાંજે નારી વંદન કાર્યક્રમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જો કે અહીં અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આજે મહિલા અનામતનું સપનું સાકાર થયું છે. તેમજ વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી છે. રક્ષાબંધન પર ઘણી બહેનોએ મને રાખડી મોકલી જે બદલ આ બિલ સ્વરૂપે ભેટ પહેલાથી જ તૈયાર રાખી હતી. તમે જે મારા પર વિશ્વાસ મુક્યો હતો, તેનો હું આભારી છું. હવે તમારા વિશ્વાસમાં વધુ એક કામ કરી દીધું છે. આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીતી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આગામી સમયમાં મહિલાઓ દેશનો આવાજ બનશે.

આ પછી પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ આરામ કરશે. તેઓ ત્યાંની સરકાર અને સંગઠન સાથે જોડાયેલા લોકોને પણ મળશે. 27 સપ્ટેમ્બરના રોજ સવારે, વડાપ્રધાન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂરા થવા નિમિત્તે આયોજિત સમિટ અને સક્સેસ પ્રોગ્રામમાં ભાગ લેશે.

આ પછી પીએમ મોદી અમદાવાદથી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી માટે રવાના થશે અને ત્યાં પહોંચ્યા બાદ રાજ્ય સરકારના કાર્યક્રમના ભાગરૂપે તેઓ આ આદિવાસી બહુલ જિલ્લાને 5,200 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. મોદી ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ કાર્યક્રમ હેઠળ રૂ. 4,500 કરોડથી વધુની કિંમતના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

બોડેલીના સત્તાવાર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચશે અને ત્યારબાદ નવલખી મેદાન ખાતે આયોજિત નારી વંદન કાર્યક્રમને સંબોધશે. આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. મહિલા આરક્ષણનો માર્ગ મોકળો કરવા બદલ ભાજપનો મહિલા મોરચો પીએમ મોદીનું સ્વાગત કરશે. આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ PM મોદી લગભગ 6.45 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

Most Popular

To Top