Entertainment

બોલિવૂડ સ્ટાર્સના ઘરે લહેરાયો તિરંગો, આઝાદીના અમૃત ઉત્સવમાં ભાગ લીધો

મુંબઈ: દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને ‘હર ઘર તિરંગા અભિયાન’ની (Har Ghar Tiranga) શરૂઆત કરી હતી. પીએમ મોદીના આ અભિયાનમાં બોલિવૂડથી (Bollywood) લઈને સાઉથના સેલેબ્સ (South Star) પણ ભાગ લઈ રહ્યા છે. સલમાન ખાન, આમિર ખાન, આર માધવન, કરણ કુન્દ્રા, મહેશ ભટ્ટ, અનિલ કપૂરથી લઈને અક્ષય કુમાર સુધી તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા. સેલેબ્સે પણ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેના વિશે એક ખાસ પોસ્ટ પણ લખી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં પીએમ મોદીએ સમગ્ર દેશને અપીલ કરી હતી કે આ ખાસ અવસર પર દરેક વ્યક્તિએ પોતાના ઘરની બહાર ત્રિરંગો લગાવવો જોઈએ અને આ અભિયાનમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. એટલું જ નહીં, લોકોનો આત્મવિશ્વાસ વધારવા માટે, અભિયાનમાં ભાગ લેનાર લોકોને પ્રમાણપત્રોથી નવાજવામાં આવશે.

આઝાદી કા અમૃત મહોત્સવમાં બોલિવૂડ સ્ટાર્સની ભાગીદારી
75માં સ્વતંત્રતા દિવસ પર મુંબઈમાં સેલેબ્સના ઘરે પણ આઝાદીની ઉજવણી જોવા મળી હતી. જ્યાં થોડા દિવસો પહેલા આમિર ખાને તેના મુંબઈના ઘરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, ત્યારે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ તિરંગો ફરકાવ્યો હતો. એટલું જ નહીં, સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ તિરંગો લઈને મુંબઈમાં દેખાયા હતા. 15 ઓગસ્ટના અવસર પર બોલિવૂડ સેલેબ્સની તસવીરો જુઓ.

સલમાન ખાનના પિતા સલીમ ખાન પણ હાથ તિરંગો લઈને જોવા મળ્યા હતા. આ સિવાય ઘણા બોલિવુડ સ્ટારએ આઝાદીના 75 વર્ષને ખાસ રીતે ઉજવણી કરવા જઈ રહ્યા છે. તેમજ બોલિવુડ સ્ટાર અનિલ કપૂરના ઘરને પણ ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. આલિયા ભટ્ટના મામાના ઘરે પણ આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં અનેક બોલિવુડ સ્ટારે ભાગ લીધો છે.

આ સિવાય અક્ષય કુમારે મુંબઈ પોલીસ સાથે આઝાદીની ઉજવણીમાં ભાગ લીધો હતો. હાલમાં જ સલમાન ખાન પણ સેના સાથે ઉજવણી કરવા આવ્યો હતો. તેવી જ રીતે ભૂલ ભુલૈયા 2 એક્ટર કાર્તિક આર્યેને પણ સૈનિકો સાથે આઝાદીની ઉજવણી કરી અને તસવીરો શેર કરી.

Most Popular

To Top