National

સિંહ દ્વારથી પ્રવેશ, મુખ્ય ગર્ભગૃહમાં શ્રીરામ બાળસ્વરૂપમાં વિરાજશે: આ હશે શ્રી રામ જન્મભૂમિના ફિચર્સ

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યા (Ayodhya) રામ મંદિરની (RaamMandir) વિશેષ ફિચર્સની (Features) જાહેરાત કરી છે. ટ્રસ્ટે મંદિર સંકુલના તમામ ક્ષેત્રો સાથે ભગવાન શ્રી રામના ગર્ભગૃહ સુધી મંદિરની (Temple) ભવ્યતા વિશે માહિતી શેર (Share) કરી છે. ત્રણ માળનું રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનેલું છે. આ સાથે જ ટ્રસ્ટે (Trust) મંદિરની અન્ય માહિતીઓ પણ શેર કરી છે.

ટ્રસ્ટે જાહેર કરેલી મંદિેરની વિગતો

  1. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે.
  2. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.
  3. મંદિર ત્રણ માળનું છે. જેનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે. તેમાં કુલ 392 થાંભલા છે. તેમજ 44 દરવાજા છે.
  4. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળપણનું સ્વરૂપ (શ્રી રામ લલાની બાળ સ્વરૂપ મૂર્તિ) છે. તેમજ પહેલા માળે શ્રી રામનો દરબાર હશે.
  5. મંદિરમાં પાંચ મંડપ (હોલ) છે. જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના અને કીર્તન મંડપનો સમાવેશ થાય છે.
  6. સ્તંભો અને દિવાલો પર દેવી-દેવતાઓના શિલ્પો કોતરેલા છે.
  7. રામ મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશામાંથી છે. તેમજ સિંહ ગેટથી 32 સીડીઓ ચઢીને પ્રવેશ કરવામાં આવશે.
  8. અશક્ત અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ હશે.
  9. મંદિરની આસપાસ એક લંબચોરસ દિવાલ હશે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ છે.
  10. રામ મંદિર સંકુલના ચાર ખૂણા પર ચાર મંદિરો હશે, જે સૂર્યદેવ, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત છે. ઉત્તરમાં માતા અન્નપૂર્ણાનું મંદિર છે. જ્યારે દક્ષિણમાં હનુમાનજીનું મંદિર છે.
  11. મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો (સીતા કૂપ) છે, જે પ્રાચીનકાળનો છે.
  12. શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં સૂચિત અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વિશ્વામિત્ર, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહિલ્યાના પૂજનીય પત્નીને સમર્પિત કરવામાં આવશે.
  13. રામ મંદિર પરિસરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કુબેર ટીલા પર જટાયુની સ્થાપના સાથે ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
  14. મંદિરમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
  15. મંદિરનો પાયો રોલર-કોમ્પેક્ટેડ કોંક્રિટ (RCC) ના 14 મીટર જાડા સ્તરથી બાંધવામાં આવ્યો છે. જે તેને કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે.
  16. મંદિરને જમીનના ભેજથી બચાવવા માટે ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.
  17. મંદિર સંકુલમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આગ સુરક્ષા માટે પાણી પુરવઠો અને સ્વતંત્ર પાવર સ્ટેશન છે.
  18. 25,000 લોકોની ક્ષમતા ધરાવતું પિલગ્રીમ ફેસિલિટેશન સેન્ટર (PFC) બનાવવામાં આવી રહ્યું છે. તે યાત્રાળુઓને મેડિકલ સુવિધાઓ અને લોકરની સુવિધા પૂરી પાડશે.
  19. સંકુલમાં ન્હાવાની જગ્યા, વૉશરૂમ, વૉશ બેસિન, ખુલ્લા નળ વગેરેનો એક અલગ બ્લોક પણ હશે.
  20. મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતની પરંપરાગત અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ-જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકીને તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને 70 એકર વિસ્તારના 70% વિસ્તારને હરિયાળો રાખવામાં આવ્યો છે.

Most Popular

To Top