World

ભારતીય કફ સીરપને લઈ ઈરાકમાં WHOએ એડવાઈઝરી જારી કરી

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) વધુ એક ભારતીય કફ સીરપને (Cough Syrup) લઈને એલર્ટ જારી કર્યું છે. WHOએ ઈરાકમાં (Iraq) સામાન્ય શર્દી ખાંસી વાળા એક સિરપનું 10 જુલાઈએ સેમ્પલ લીધું હતું જેની તપાસ માટે તેને લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ તપાસમાં સેમ્પલ ફેઈલ ગયું છે. જાણકારી મુજબ ભારતમાં બનનાર આ સીરપમાં ડાયથિગિન ગ્લાઈકો અને એથિલિન ગ્લાઈકોઝનું પ્રમાણ વધુ છે જે માનવના સ્વાસ્થય માટે હાનિકારક છે.

ડબ્લ્યુએચઓએ સોમવારે જણાવ્યું હતું કે દાબીલાઇફ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ માટે ફોરર્ટ્સ (ઇન્ડિયા) લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીરપનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સીરપમાં ઇથિલિન ગ્લાયકોલ અને ડાયેથિલિન ગ્લાયકોલ બંનેની નિર્ધારિત મર્યાદા 0.10 ટકા સુધી છે. આ સિવાય ઉત્પાદક-વિક્રેતાએ ઉત્પાદન અંગે WHOને સલામતી અને ગુણવત્તાની કોઈ ગેરંટી આપી નથી. જેનાં કારણે WHOએ એડવાઈઝરી જારી કરી છે અને લોકોને આ કફ સીરપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. કારણ કે તેનાં ઉપયોગથી મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ કહ્યું કે આ સીરપનો ઉપયોગ કરવો અસુરક્ષિત છે. તેનો ઉપયોગ વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર રીતે બગાડી શકે છે અથવા તે મૃત્યુ તરફ દોરી શકે છે. હાલમાં આ અંગે કંપનીઓ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

WHOએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે હરિયાણામાં ઉત્પાદિત મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચાર ઉત્પાદનો પણ તપાસ હેઠળ છે. તે જ સમયે, ડિસેમ્બર 2022 માં, ડબ્લ્યુએચઓએ યુપીમાં બનવાની બાયોટેક પ્રાઇવેટની બે પ્રોડક્ટ્સ અંગે ચેતવણી જારી કરી હતી. જો કે, પંજાબમાં ઉત્પાદિત QP ફાર્માકેમ લિમિટેડ દ્વારા ઉત્પાદિત કફ સીરપને WHO દ્વારા આ વર્ષે એપ્રિલમાં ફ્લેગ કરવામાં આવ્યું હતું.

6,500 દવાની ફેક્ટરીઓ પ્રમાણપત્ર વિના કામ કરી રહી છે!
આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ આ સપ્તાહની શરૂઆતમાં જાહેર કર્યું હતું કે દેશમાં 10,500 ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાંથી 8,500 MSME શ્રેણીમાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી માત્ર 2,000 ફેક્ટરીઓ પાસે WHOનું ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) પ્રમાણપત્ર છે. 6,500 ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ પાસે આ પ્રમાણપત્ર નથી. દવાઓની સારી ગુણવત્તા માટે આ પુરાવા હોવું ખૂબ જ જરૂરી છે.

Most Popular

To Top