Gujarat Main

રાજ્યમાં કોરોના બેકાબુ, નવા 1961 કેસ : સુરતમાં 4 સહિત કુલ 7ના મોત

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) માં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગુરૂવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 1961 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં ચાર, અમદાવાદ મનપામાં એક અને મહિસાગરમાં 2 મૃત્યુ સાથે કુલ 7 દર્દીઓના મૃત્યુ થયા હતા. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4473 થયો છે, તો 1405 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,80,285 સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર દિવસે દિવસે ઘટતો જાય છે.

ગુરૂવારે સાજા થવાનો દર 95.29 ટકા રહ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુરૂવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 551, સુરત મનપામાં 501, વડોદરા મનપામાં 164, રાજકોટ મનપામાં 146, ભાવનગર મનપામાં 23, ગાંધીનગર મનપામાં 21, જામનગર મનપામાં 24 અને જૂનાગઢ મનપામાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસો ( CORONA ACTIVE CASE) ની સંખ્યા 9372 વેન્ટિલેટર ઉપર 81 અને 9291 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 38,64,161 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 6,21,158 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 44,85,319 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. ગુરૂવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,78,796 વ્યકિતઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


એક જ દિવસમાં 81976 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરાયા

કોરોનાના કેસો વધતાં તેના ટેસ્ટ ( CORONA TEST) વધારવામાં આવ્યા છે. આ માટે રાજ્યમાં વધુમાં વધુ ટેસ્ટ થાય, પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલા વધુમાં વધુ લોકોને ટ્રેક કરવામાં આવે છે અને જેઓ પોઝિટિવ આવ્યા હોય તેમને પુરતી સારવાર મળી રહે તે માટે સધન પ્રયાસ કરવામા આવી રહ્યા છે. ગુરૂવારે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજ્યમાં એકતરફ 1961 કેસો નોંધાયા છે, તો બીજી તરફ રાજ્યમાં 81,976 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ પૈકી રાજ્યમાં 1961 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે. એટલે કે પોઝિટિવ રેટ 2.39 ટકા જોવા મળ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top