Gujarat

રાજ્યના 20 જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નહીં, આઠ જિલ્લામાં

રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 76 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ મનપા, અમરેલી અને ભાવનગર ગ્રામ્યમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા દર્દીઓની કુલ સંખ્યાં 10,067 પર પહોંચી છે.

આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 2,527 નોંધાઈ છે. જે પૈકી 2,516 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 11 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ આજે 190 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,169 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં દર્દીઓની સાજા દર 98.47 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 22, સુરત મનપામાં 12, વડોદરા મનપામાં 4, રાજકોટ મનપામાં 07, ગાંધીનગર મનપામાં 01, જામનગર મનપામાં 01 અને અમરેલીમાં 04 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેવી જ રીતે 8 જિલ્લામાં માત્ર એક જ નવો કેસ નોંધાયો છે. આમ હવે કોરોનાની ગતિ નબળી પડતી જાય છે.

શનિવારે 3,30,500 વ્યકિતઓને રસી આપવામાં આવી
જેમાં આજે 18-45 વર્ષ સુધીના 1,69,932 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 5,199 વ્યક્તિને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 53,257 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 91,387 વ્યક્તિને બીજો ડોઝ તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ 272 વ્યક્તિને અને બીજો ડોઝ 10,453 વ્યક્તિને મળી કુલ 3,30,500 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,65,42,078 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top