National

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- મુસ્લિમો વિશે ખોટા નિવેદનો ન આપો

ભાજપની (BJP) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો (Meeting) આજે બીજો દિવસ છે અને આ સાથે 2024ની લોકસભા ચૂંટણી (Election) માટે પાર્ટીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. બેઠકમાં પીએમ મોદીએ (PM Modi) ભાજપના નેતાઓને સંબોધતા કહ્યું કે ભાજપે મુસ્લિમોની વચ્ચે જવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ભાજપે મુસ્લિમોની વચ્ચે જવું જોઈએ અને પ્રોફેશનલ (Professional) મુસ્લિમોને યોગ્ય રીતે પોતાનો સંદેશ પહોંચાડવો જોઈએ. મુસ્લિમ (Muslims) સમાજ વિશે ખોટા નિવેદનો ન આપો. પીએમ મોદીએ કહ્યું કે ભાજપના નેતાઓએ બિનજરૂરી નિવેદનો કરવાથી બચવું જોઈએ. આ સિવાય પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મુસ્લિમોની વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ પણ પહોંચે.

  • પીએમ મોદીએ કહ્યું કે ભાજપે મુસ્લિમોની વચ્ચે જવું જોઈએ
  • પ્રોફેશનલ મુસ્લિમોને યોગ્ય રીતે પોતાનો સંદેશ પહોંચાડવો જોઈએ
  • ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કાર્યકર્તાઓને સખત મહેનત કરવા કહ્યું

પીએમ મોદીએ કહ્યું કે બીજેપી કાર્યકર્તાઓએ સરહદી ગામોમાં જવું જોઈએ. એક રાજ્યમાં બીજા રાજ્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવો જોઈએ. ભાજપને સામાજિક આંદોલન બનાવો. આ સિવાય પીએમ મોદીએ કાર્યકર્તાઓને સખત મહેનત કરવા કહ્યું. બીજેપી નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અંગેની માહિતી આપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હવે માત્ર એક રાજકીય ચળવળ નથી પણ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને બદલવા માટે કામ કરતું એક સામાજિક આંદોલન છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણીને હવે 400 દિવસ બાકી છે. સંસ્થાના કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ અને જણાવવું જોઈએ કે રસીકરણ હોય કે ફ્રી રાશન હોય કે સર્જિકલ સ્ટ્રાઈક હોય બધું એટલા માટે થયું કારણ કે તે લોકોએ મતદાન કર્યું હતું.

યુવાનોને જાગૃત કરોઃ પીએમ મોદી
પીએમે કહ્યું કે 18 થી 25 વર્ષની વયજૂથના યુવાનોએ અગાઉની સરકારના કુશાસનને જોયા નથી. વર્તમાન સરકાર કેવી રીતે કુશાસનમાંથી સુશાસન તરફ આગળ વધી છે તે અંગે તેઓને જાગૃત કરવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે આ શ્રેષ્ઠ સમય છે અને આપણે દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સખત મહેનત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અમૃત કાલને કર્તવ્યકાળમાં રૂપાંતરિત કરવું જોઈએ તો જ દેશ ઝડપથી પ્રગતિ તરફ આગળ વધી શકશે.

Most Popular

To Top