SURAT

દિવાળીમાં વતન જવાની ના પાડતા પત્નીએ ફાંસો ખાધો

સુરત: અમરોલી (Amaroli) વિસ્તારમાં રહેતી પરિણીતાને દિવાળીના (Diwali) તહેવાર ઉપર વતન કલકત્તા (Calcutta) પિયરમાં રહેવા જવું હોય જોકે ખાનગી કંપનીમાં કામ કરતા પતિને નોકરમાંથી રજા મળે તેમ ન હોય પતિએ ના પાડતા હતાશ પત્નીએ ફાંસો ખાઇ લીધો હતો. સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર મુળ કલકત્તાના હાવડા જિલ્લાના રામચંદ્રપુરના વતની અને હાલમાં અમરોલી નાના જલારામ મંદીર પાસેના ધારનાથ કોમ્પલેક્ષમાં રહેતા વિશ્વનાથ મન્નાની પત્ની સવિતાએ ગુરૂવારે સાંજે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો.મૃતકના પતિ ખાનગી કંપનીમાં કામ કરતા હતા પતિએ તેને દિવાળી ઉપર વતન જવા કહ્યું હતું. જોકે પતિએ પત્નીને નોકરી ઉપરથી રજા મળશે નહીં વતન જવાની ના કહી હતી. જેથી માઠુ લગાડી પત્નીએ આ પગલું ભરી લીધું હતું.

નાના વરાછામાં મહિલાએ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો
સુરત: નાના વરાછા વિસ્તારમાં રહેતી 35 વર્ષિય મહિલાએ ગુરુવારે સાંજે સ્યુસાઇડ નોટ લખી ફાંસો ખાઇ લીધો હતો. મહિલાના અંતિમ પગલાને પગલે ત્રણ સંતાન નોધારાં બન્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્મીમેર હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ ભાવનગરના વનતી અને હાલ નાના વરાછા અંબિકા વિજય સોસાયટીમાં રહેતી શીતલ ધર્મેશ મકવાણાએ ગુરુવારે સાંજે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં શીતલ મકવાણાએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. શીતલબેને પતિની માફી માંગી, મારી તબિયત સારી રહેતી નહીં હોવાથી બધા ઉપર ગુસ્સે થઈ જાઉં છું. આવું શું કામ થાય છે, તેની મને ખબર પડતી નથી. પાછળથી અફસોસ થાય છે તેવો ઉલ્લેખ કર્યો હતો. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેના પતિ ધર્મેશ મકવાણા ફર્નિચરની દુકાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

પાંડેસરામાં રહેતા એમ્બ્રોઇડરી ઇજનેરનો આપઘાત
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતા 27 વર્ષિય એમ્બ્રોઇડરી એન્જીનિયરે બે મહિનાથી પત્ની પિયરમાં બાળકોને લઇ ચાલી ગઇ હોય હતાશામાં આવી જઇ ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પાંડેસરા રાધેશ્યામનગર ખાતે ભાડાની રૂમમાં રહેતા મંગેશ લાલજીભાઇ સરોજએ શુક્રવારે સવારના સમયે પોતાની રૂમમાં છતના હુક સાથે ખાટલાની પાટી વડે ફાંસો ખાઇ લીધો હતો.છે.

Most Popular

To Top