Dakshin Gujarat Main

અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ગેરકાયદે ઝૂપડાં ઉપર બુલડોઝર ફેરવાયું

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડાં ખાલી કરવા કરવા નોટિસ ફટકારતાં શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી બની છે. તેમણે 30થી 40 વર્ષથી રહીએ છીએ. ક્યાં જઈએ તેવા સવાલ ઊભા કરી મતદાન કાર્ડ સહિત આધાર પુરાવા રજૂ કરી આક્રોશ ઠાલવ્યો હતો. બાદ રેલવેની હદમાં આવતાં તમામ ઝૂંપડાં તંત્ર દ્વારા બુલડોઝર વડે દૂર કરવામાં આવ્યાં હતાં, જેમાં રેલવે પોલીસના બંદોબસ્ત વચ્ચે ઝૂંપડાં તોડવામાં આવ્યાં હતાં.

ઝૂંપડામાં રહેતા ગરીબ વર્ગીય લોકો રસ્તા પર આવી જગ્યા હોવાની ભીતિ વર્તાઇ હતી. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા ગત 8મી સપ્ટેમ્બરે નોટિસ દ્વારા ગડખોલ ફાટક પાસે રહેતા ઝૂંપડપટ્ટીના રહીશોને તેવો દ્વારા રેલવેની હદમાં 318/3 થી 318/25 વચ્ચે ગેટ નં.173 નજીક અપ લાઇનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે દબાણ કરવામાં આવ્યું છે. આ રેલવે પેન 1989ની કલમ 147નું ઉલ્લંઘન છે. 12.09.2021 સુધીમાં રેલવેની હદમાં કરવામાં આવેલાં અનધિકૃત દબાણ તાત્કાલિક દૂર કરીને રેલવેની જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી અને અને ના કરશે તો દબાણ રેલ્વે દ્વારા દૂર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આથી સ્થાનિક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પગ તળે જમીન ખસી ગઈ હતી.

Most Popular

To Top