Sports

ભારતીય ક્રિકેટમાં શોકનો માહોલ, આ જાણીતા ખેલાડીએ ચોથા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડ કપ 2024માં ટાઈટલ જીતવા માટે રમી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના (Team India) પૂર્વ ખેલાડીએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ 52 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે આ ખેલાડીએ ભારતીય ટીમ માટે ટેસ્ટ ફોર્મેટ અને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી હતી.

ભારત અને કર્ણાટકના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું બેંગલુરુમાં નિધન થયું છે. જ્હોન્સનનું બેંગલુરુમાં તેમના ચોથા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પડીને મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે જોન્સન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા અને તેમને ત્રણ દિવસ પહેલા જ સ્થાનિક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ડિપ્રેશનના શિકાર હતા.

ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમને તક ન મળી. આ દરમિયાન તેમણે કુલ 3 વિકેટ પોતાના નામે કરી હતી. ભારત માટે બે ટેસ્ટ મેચ રમવા ઉપરાંત ડેવિડ જોન્સને લાંબા સમય સુધી કર્ણાટક માટે રણજી ક્રિકેટ રમી છે. તેમણે કર્ણાટક માટે 39 ફર્સ્ટ ક્લાસ મેચ અને 33 લિસ્ટ A મેચ રમી હતી. તેમણે 1992માં ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને 2002 સુધી સક્રિય રહ્યા હતા.

ભારતીય દિગ્ગજ ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો
ડેવિડ જ્હોન્સનના મૃત્યુના સમાચાર આવતા જ ખેલાડીઓ દ્વારા સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ એક્સ પોસ્ટ કરીને લખ્યું કે મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. બહુ જલ્દી ચાલ્યા ગયા બેની! બીજી તરફ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે લખ્યું કે તે ડેવિડ જોન્સનના નિધનથી દુખી છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ આપે.

Most Popular

To Top