SURAT

‘તું મારા ઘરવાળા સાથે સુઈને આવી છે, તને છોડીશ નહીં’ કહી સરથાણામાં પ્રેમીની પત્નીએ સગીરા સાથે આવું કર્યું…

સુરત: સુરત શહેરના છેવાડાના સરથાણા વિસ્તારમાં  રીક્ષામાં માતા અને ભાઈ સાથે  જતી સગીરાનું તેના પ્રેમીની પત્નીએ માતા અને બહેન સાથે મળી અપહરણ કરી લસકાણા ખાતેના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાને ઢોર મારમારી તેના કપડા કાઢી નાંખ્યા હતા તેમજ તેના ગુપ્તાંગના ભાગે મરચાંની ભુકીવાળું પાણી નાંખવાની સાથે ગરમ સાણસીના ગુપ્તાંગ અને જાંઘના ભાગે ડામો આપ્યા હતા. એટલું જ નહીં પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી પણઆપી હતી.

  • સગીરા માતા અને ભાઈ સાથે રીક્ષામાં જતી હતી ત્યારે મોપેડ ઉપર આવેલી પ્રેમીની પત્ની સંગીતાએ માતા અને બહેન સાથે મળી અપહરણ કર્યું
  • લસકાણાના રૂમમાં ગોંધી ગુપ્તાંગના ભાગમાં મરચાની ભુકીવાળું પાણી નાંખ્યું, ગરમ સાણસીના ગુપ્તાંગ અને જાંઘના ભાગે ડામો આપ્યા
  • પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી

સરથાણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સીમાડા નાકા વિસ્તારમાં રહેતી અને નાના વરાછા મોતીનગર સીવીલાઈઝ સર્કલ પાસે ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતી 35 વર્ષીય  પુજાબેન (ના્મ બદલ્યું છે)ની  12 વર્ષ 10 માસની દીકરીનું ઘર નજીક રહેતા તેનો મોટી દીકરીના નણદોઈ ઉમેશ વશરામ ઉગરેયા ગત તા 11મીના રોજ અપહરણ કરી ગયો હતો.

જે અંગે મહિલાઍ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને જણાની ધરપકડ કરી ઉમેશને જેલમાં મોકલી આપ્યો હતો જયારે તેની દીકરીએ ઘરે જવાની ના પાડતા પોલીસે રાંદેર રામનગર ખાતે આવેલ ચિલ્ડ્ન હોમમાં મોકલી આપી હતી. તા. 17 મીના રોજ પોલીસે તેની દીકરીને કોર્ટમાં રજુ કર્યો હતો ત્યારે દીકરીએ ઘરે સાથે લઈ જવાની વાત કરતા પુજાબેને તેનો કબજા લેવા માટે ચિલ્ડ્રન હોમમાં ગયા હતા.

ચિલ્ડ્રન હોમ દ્વારા પોલીસ પાસેથી દાખલો લઈ આવવાનું કહેતા તેઅો પોલીસ પાસેથી ગઈકાલે દાખલો લઈ દીકરીનો ચિલ્ડ્રન હોમમાંથી કબજા મેળવી રીક્ષામાં તેની દીકરી અને દીકરા સાથે કામરેજ જવા નિકળ્યા હતા. ત્યારે શ્યામધામ મદિર ચાર રસ્તા પાસે ઉમેશ ઉગરેજીયાની પત્ની સંગાતા, તેની બહેન મનીષા અને  માતા મધુબેન સાથે મોપેડ ઉપર આવી રીક્ષા આંતરી ઉભી રખાવી હતી.

રીક્ષામાથી પુજાબેન અને તેના દીકરાને નીચે ઉતારી દીકરીનું  રીક્ષામાં અપહરણ કરી ગયા હતા. પુજાબેને મધુને  દીકરીને છોડી તો તેને લઈને વતન ચાલ્યા જવાની આજીજી કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. સંગીતા અને મનીષા સગીરાને લસકાણા ગામથી ભાથીજી મંદિરની સામે આહિરવાસમાં રહેતી કિરણ ઉર્ફે ટીનાના ઘરે લઈ ગયા હતા ત્યાં તેણીને મારમારી જમીન પર પછાડી દીધી હતી.

મનીષાએ સગીરાના બંને હાથ પકડી રાખ્યા હતા. અને સંગીતાએ કિરણની મદદથી સગીરાના કપડા કાઢી નાંખી તેના ગુપ્તાંગના ભાગમાં મરચાની ભુકીવાળું પાણી નાંખ્યા બાદ ગરમ સાણસીથી ગુપ્તાંગ અને જાંઘના આગળ પાછળના ભાગે ડામો આાપ્યા હતા.

આરોપીઓ સગીરાને બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી તરફ પુજાબેન તેની દીકરીની શોધખોળ કરવા છતાંયે નહી મળતા સરથાણા પોલીસમાં ફરિયાદ કરવા જતા હતા તે વખતે વાલક પાટીયા ચાર રસ્તા પાસે દીકરી રડતી હાલતમા મળી આવી હતી.

દીકરીએ તેની સાથે બનેલા બનાવ અંગે વાત કર્યા બાદ પુજાબેને ગતરોજ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે સંગીતા  ઉમેશ ઉગરેજીયા, મનીષા સના ચોવસીયાï, મંધુબેન સના ચોવસીયા, કિરણ ઉર્ફે ટીના સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top